Webdunia - Bharat's app for daily news and videos

Install App

Work From Home - વર્ક ફ્રોમ હોમ કંપનીઓ કર્મચારીઓએ માટે પાંચ નવા ભથ્થા આપી રહી છે

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (18:02 IST)
કોરોના સંકટને કારણે હાલ મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અપનાવ્યું છે અને કર્મચારીઓએ ઘરેથી કામ કરવાની આ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે, અને કંપનીઓએ તે જોવું પડશે કે તેમના કર્મચારીઓની જરૂરિયાતો પૂરી થાય છે. ફર્નિચર અને હાર્ડવેર ભથ્થું કંપનીઓ દ્વારા કરવામાં આવતી એક સમયની ઑફર હોઈ શકે છે જે તેમના કર્મચારીઓને તેમની જરૂરિયાતોને આધારે જરૂરી ઉપકરણો ખરીદવાની મંજૂરી આપે છે. આમાં અર્ગનોમિક્સ ખુરશીઓ, કુશન અને ડેસ્ક શામેલ હોઈ શકે છે. જે કંપનીઓ આ પ્રકારનું ભથ્થું આપવામાં નિષ્ફળ જાય છે, તેઓ તેમના કર્મચારીઓના સ્વાસ્થ્યને જોખમમાં નાખી શકે છે, કારણ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠ અને ગળાના દુ:ખાવા જેવા શારીરિક અસ્વસ્થતા થાય છે, જે ઉત્પાદકતાને અસર કરી શકે છે.
 
ગુગલ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કર્મીઓને 75 હજાર રૂપિયા ફર્નિચર માટે આપવામાં આવતા હતા. જો કે, હવે ભારતમાં પણ આ ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. HR ટેક ફર્મ સ્પિંગવર્ક્સે વર્ક ફ્રોમ હોમ માટે કર્મચારીઓને ફર્નિચર માટે 25 હજાર રૂપિયાની ચૂકવણી કરી છે. આ ઉપરાંત કંપનીએ 3 હજાર રૂપિયા હેડફોન માટે પણ આપ્યા છે. સાથે જ 1500 રૂપિયા પ્રતિ મહિને ઈન્ટરનેટ માટે આપશે. ક્લાઉડ સર્વિસની કંપની જી7 સીઆર કર્મચારીઓનાં ઘરે ફર્નિચર મોકલાવી રહી છે. આ ઉપરાંત 18 હજાર રૂપિયા પણ આપી રહી છે.
 
કંપનીઓ કર્મચારીઓની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એપ પેમેન્ટ કંપની રેઝર પે પોતાના કર્મચારીઓને અલગ ભથ્થું આપી રહી છે. એટલું જ નહીં કંપનીઓ વીજ કટને લઈ પણ ધ્યાન આપે છે. અને કર્મચારીઓને ઈન્વર્ટર અને યુપીએસ જેવી વસ્તુઓ માટે પણ ચૂકવણી કરી રહી છે. આ સાથે વાઈફાઈ અપગ્રેડ કરવા સહિતની વસ્તુઓનો ખર્ચ પણ આપે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments