Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology - જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી દેશે તમારું ભાગ્ય

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (12:36 IST)
જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો બધાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફળતા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઇએ. કેટલાક લોકો સફળતા માટે ઘણા પ્રકારની રીત અપનાવે છે જેમકે શુભ રંગના પકડાં પહેરવા અથવા પછી પોતાના શુભ રત્નો પહેરે છે વગેરે.. આ પ્રકરના ઘણા નાના પ્રયત્નો તમારા ભાગ્ય પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શુ તમે જાણો છે કે તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી પેન તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. 
 
એક મહાન ન્યૂમેરોલિજિસ્ટએ આ વાતનો ખુલાસો કર્યો છે કે તમારી પેનનો રંગ પણ તમારું ભાગ્ય બદલે શકે છે. માનવામાં આવે છે કે યોગ્ય કલરની પેનની પસંદ તમારું ભાગ્ય બદલી શકે છે. 
 
આજે અમે તમને તમારા મૂળાંકના આધારે જણાવીશું કે કયા પ્રકારે પેન તમારી નામ, પ્રતિષ્ઠા અને પ્રગતિ અપાવવામાં તમારી મદદ કરશે પરંતુ સૌથી પહેલાં તમારે સમજવવું પડશે કે તમારો મૂળાંક શું છે. 
 
અંક જ્યોતિષ અનુસાર 1 થી 9 મૂળાંક હોય છે. તમારી જન્મતારીખના આધારે મૂળાંક નક્કી થાય છે. જેમ કે તમારી જન્મ તારીખનો 1 થી 9 વચ્ચે છે તો તમારો મૂળાંક એ જ થશે. જો તમારી જન્મ તારીખ 11 છે તો 1 અને 1 ઉમેરી 2 અંક આવશે તો તમારો મૂળાંક 2 થશે. તો ચાલો કયા પ્રકારે પેન તમારો ભાગ્યોદય કરે છે. 
 
 
જો તમારી જન્મતારીખ 1 છે તો તમે ગોલ્ડન રંગની પેનનો ઉપયોગ કરો, તેનાથી તમને જરૂર સફળતા મળશે. સાથે જ તમારા જીવનમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર પણ આવશે. 
 
 
2 અંકવાળાએ સફેદ રંગ અથવા પછી સિલ્વર રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારું ભાગ્ય મજબૂત થશે સાથે જ તમારા જીવનમાં સુખ અને શાંતિ જળવાઇ રહેશે. 
 
જો તમારી જન્મ તારીખ 3 છે તો તમારે ગોલ્ડન રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. 
 
4 અંકવાળાએ ભૂરા રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારા જીવનમાં આવનાર તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સાથે જ તમે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાઓથી પણ દૂર રહેશો. 
 
5 અંકવાળા માટે લીલો રંગ એકદમ શુભ ગણવામાં આવે છે એટલા માટે એવી પેનનો ઉપયોગ કરવો જોઇએ જે લીલા રંગની હોય. માનવામાં આવે છે કે તેનાથી તમારું જીવન સરળ થઇ જશે અને તમારા તમામ કષ્ટ દૂર થઇ જશે. 
 
6 જો તમે એવી પેનનો ઉપયોગ કરો છો જેના પર ચમકદાર તત્વ હોય અથવા પછી તેમાં હીરા જડેલા હોય તો નિશ્વિત પણે આ તમારું ભાગ્ય ચમકાવી દેશે અને સફળતા તમારે પગ ચૂમશે. પછી તમારે પાછળ વળીને જોવાની જરૂર નહી રહે. 
 
જો તમારી જન્મતારીખ 7 છે તો તમારે ગ્રે રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમને તમારા ગુસ્સા પર કાબૂ મેળવવામાં મદદ 
 
8 અંકવાળાએ ઘાટ્ટા રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ જેમ કે જે પેન કાળા અથવા પછી ગાઢા વાદળી રંગની હોય. તેનાથી તમારા જીવનમાં આવનાર મુશ્કેલીઓ દૂર થશે અને તમારું જીવન સુખમય બની રહેશે. 
 
9 અંકવાળા માટે લાલ રંગની પેન ખુબ શુભ ગણવામાં આવે છે. આ રંગની પેનના ઉપયોગથી તમારા દુખ દુર થશે અને તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે. આ ઉપરાંત ધીમે ધીમે તમારા અટવાયેલા કામો પણ બનવા લાગશે.

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments