Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ અને અમદાવાદ વચ્ચેના આવનજાવન પર પ્રતિબંધ

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (17:03 IST)
રાજકોટમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે કલેક્ટર રેમ્યા મોહન તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરના આદેશ પ્રમાણે રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે. એટલે કે એમ્બ્યુલન્સને ચાલવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટથી સુરતમાં આવવા અને જવા અંગે આજ સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે.  અમદાવાદથી તાજેતરમાં રાજકોટ આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ તરફથી યુવક રહેતો હતો તે જગજીત એપાર્ટમેન્ટના એ અને બી બંને વિંગને ક્વૉરન્ટીન કરી દેવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં રહેતા 68 લોકોને હોમ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સુખદ સમાચાર એ છે કે એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કરતા આ યુવકને તેના ઘરને બદલે ફાર્મ હાઉસ પર મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments