Festival Posters

Chaturmas 2022: જાણો ક્યારથી શરૂ થશે ચાતુર્માસ, આ દિવસે કેમ શુભ કાર્યો કરવામાં આવતા નથી

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (00:09 IST)
Chaturmas 2022: અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસ તિથિને દેવશયની  એકાદશી કહે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. આવામાં ચતુર્માસ(Chaturmas)શરૂ થઈ જાય છે.  આ દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્યો રોકી દેવામાં આવે છે કારણ કે આ સમય એ કાર્યોને કરવાથી અશુભ ફળ મળે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધવા માંડે છે. આ વર્ષે દેવશયની એકાદશી 10 જુલાઈના રોજ આવશે અને તેનુ સમાપન 4 નવેમ્બરે થશે. 
 
દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ ફરી જાગે છે અને ફરીથી તમામ શુભ કાર્યક્રમો શરૂ થઈ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ચાતુર્માસમાં કયું કામ છે જે ન કરવુ જોઈએ. 
 
- આ 4 મહિનામાં લગ્ન, નામકરણ, ગૃહપ્રવેશ, મુંડન, જનોઈ વગેરે જેવા તમામ શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.
લોકોએ આ મહિનામાં કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ.
આ વ્રત દરમિયાન દૂધ, તેલ, રીંગણ, પાંદડાવાળા શાકભાજી, ખારા કે મસાલેદાર ખોરાક, સોપારી, માંસ અને દારૂ વગેરેનો ત્યાગ કરવામાં આવે છે.
- પલંગની જગ્યાએ જમીન પર સૂવું જોઈએ, આ કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે.
- દરરોજ તુલસીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે.

ચાતુર્માસ તમામ પ્રકારના શુભ કાર્યો માટે વર્જિત છે, પરંતુ ધાર્મિક કાર્યો પૂજા, ઉપવાસ વગેરે માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મનુષ્ય કોઈપણ પ્રકારનો ઉપવાસ શરૂ કરી શકે છે અને આ સમયે ઉપવાસ શરૂ કરનારને બમણું પરિણામ મળે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments