rashifal-2026

Mangal Grah Dosh Puja - શુ તમે જાણો છો મંગલ ગ્રહ દોષ પૂજા માટેશ્રી મંગલ દેવ ગ્રહનુ પ્રાચીન અને દુર્લભ મંદિર ક્યા છે ?

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (16:06 IST)
Mangalgraha Mandir Amalner:  તમે આ તો સાંભળ્યુ જ હશે કે મંગળ દોષની પૂજા ઉજ્જૈનના મંગલનાથ નામ ના સ્થળ પર કરવામાં આવે છે. પણ ત્યા મંગળ દેવની પૂજા શિવલિંગ અને મહાદેવના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્ર્ના જલગાવ જીલ્લામાં ધુલે પાસે આવેલ અમલનેરમાં મંગલદેવ ની દુર્લભ મૂર્તિ છે. અહી મંગલદેવ ખુદના જ સ્વરૂપમાં પોતાની માતા ભૂમાતા અને પંચમુખી હનુમાનજી સાથે વિરાજમાન છે. 
 
મંગલદેવ મંદિર, અમલનેર | Mangal Dev Mandir Amalner : બ્રહ્મવૈવર્ત પુરાણમાં મંગલ દેવની કથા વિસ્તારમાં મળે છે. અમલનેરમાં શ્રી મંગલ દેવતાના સ્થાનને પ્રાચીન અને જાગૃત સ્થાન માનવામાં આવે છે. અહી માંગલિક દોષથી મુક્તિ, રોગ મુક્તિ અને જીવનમાં સફળતા માટે દર મંગળવારે હજારો ભક્ત પૂજા અને અભિષેક કરાવવા આવે છે. અહી કોઈપણ પ્રકારથે વીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા નથી. 
 
એવુ માનવામાં આવે છે કે અહી આવેલ મંદિરનો પહેલીવાર 1933માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. 1999માં આ સ્થાનને પૂર્ણ રૂપથી સાફ અને સ્વચ્છ કરીને એક તીર્થ સ્થળના રૂપમાં વિકસિત કરવામાં આવ્યુ છે. 
 
અહી મંગળ દેવીની મૂર્તિ તેમના પૌરાણિક રૂપમાં વિદ્યમાન છે. અહી દેશ દુનિયાની એકમાત્ર એવી મૂર્તિ છે જે મંગલ દેવના સ્વરૂપ માં છે.  અહી પર ભૂમાતા અને પંચમુખી હનુમાનની મૂર્તિ પણ છે.  વિશ્વનુ પહેલુ ભૂમાતા મંદિર અહી પર સ્થિત હોવાનુ હોવાનુ માનવામાં આવે છે. 
 
અહી મંગલદેવીની મૂર્તિ તેમના જ પૌરાણિક રૂપમાં વિદ્યમાન છે. અહી દેશ દુનિયાની એકમાત્ર એવી મૂર્તિ છે જે મંગલદેવના સ્વરૂપમાં છે. અહી ભૂમાતા અને પંચમુખી હનુમાનની મૂર્તિ પણ છે. વિશ્વનુ પહેલુ ભૂમાતા મંદિર અહી સ્થિત હોવાનુ માનવામાં આવે છે. ભૂદેવી એટલે કે ભૂમાતા અને પંચમુખી હનુમાનની મૂર્તિ પણ છે. વિશ્વનુ પહેલુ ભૂમાતા મંદિર અહી સ્થિત હોવાનુ માનવામાં આવે છે. ભૂદેવી એટલે કે ભૂમાતાનો સંબંધ દક્ષિણ ભારત સાથે વધુ માનવામાં આવે છે. એવુ માની શકાય છે કે શ્રી મંગલદેવની ઉત્પત્તિનુ સ્થાન પણ દક્ષિણમાં જ હોઈ શકે છે. અમલનેર કે અમળનેર એક પ્રાચીન સ્થાન માનવામાં આવે છે. અમલનેરની પાસે તાપ્તી નદીના કિનારે સારંગખેડા નામનુ એક સ્થાન છે જ્યા પાંડવ પોતાના વનવાસ દરમિયાન રોકાયા હતા. 
 
કેવી રીતે જશો ? how to reach shri mangal dev graha mandir amalner maharashtra સુરતથી અમલનેરનું અંતર 276 કિમી. છે. 
ટ્રેન દ્વારા - સુરતથી ડાયરેકટ જવા માટે ઘણી બધી ટ્રેન મળી રહેશે. ટ્રેન દ્વારા માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે 
 
જળગાવ થી અમલનેરનુ અંતર | jalgaon to amalner distance: અહી પહોંચવા માટે તમે મહારાષ્ટ્રના જળગાવ પહોચો. અમલનેર જળગાવ જીલ્લામાં જ સ્થિત એક ગામ છે. અમલનેર જળગામથી 58.1 કિમી દૂર છે. 
 
- ધુલેથી અમલનેરનુ અંતર dhule to amalner distance: તમે અહી જવા માંગો છો તો ધુલે નામના શહેરમાં પહોચીને પણ અહીથી રોડ દ્વારા જઈ શકો છો. ધુલે અમલનેર 36.4 કિલોમીટરના અંતર પર છે. 
 
- અમલનેરથી મંગલદેવ મંદિરનુ અંતર - amalner to mangal dev mandir distance: અમલનેર ગામથી શ્રી મંગલ ગ્રહ માટે મંદિરનો રસ્તો લગભગ 2.5 કિલોમીટરનો છે. મંદિર સુધી જવા માટે અનેક વાહનો મળી રહેશે. 
 
સરનામુ આ પ્રમાણે છે - મંગલ ગ્રહ મંદિર, ચોપડા રોડ, ધનગર ગલી, અમલનેર, જીલ્લા જલગાવ, મહારાષ્ટ્ર - 425401  Mangal Grah Mandir, Chopra Rd, Dhangar Galli, Amalner, Maharashtra 425401

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments