Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanurasana- ધનુરાસનની રીત અને ફાયદા

Webdunia
રવિવાર, 10 માર્ચ 2024 (14:48 IST)
Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
 
 
વિધિ :  ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.
 
પાછા ફરવા માટે પહેલા દાઢીને જમીન પર ટેકવી પગ અને હાથને સમાનાંતર ક્રમમાં ક્રમશ: ધીરે ધીરે જમીન પર લઈ ફરીથી મકરાસનની સ્થિતિમાં આવી જાવ.અને શ્વાસોચ્છસની પ્રક્રિયા સામાન્ય બનતા તેનું પુનરાવર્તન કરો. આ રીતે ત્રણથી ચાર વાર આ આસન કરો.
 
સાવધાની : જે લોકોને કમરનો દુખાવો અથવા ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન કરવું હિતાવહ નથી. પેટને લગતો અન્ય કોઈ રોગ હોય તો પણ આ આસન ન કરવું જોઈએ.
 
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.

Edited by-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments