rashifal-2026

Vastu tips ભૂલો કરીને તમે ઘરે આવતી લક્ષ્મીને નારાજ તો નથી કરી રહ્યા ને ?

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (11:00 IST)
પાણી જીવનની મૂળભૂત આવશ્યકતા છે એના અભાવમાં કોઈ પણ જીવ માટે જીવન શક્ય નથી, એ તો બધા જાણે છે.  વેદ શાસ્ત્રોમાં પણ એ સાથે  સંબંધિત ખૂબ મૂલ્યવાન માહિતી આપી છે. આધુનિક સમયમાં લોકપ્રિય વાસ્તુ સિદ્ધાંતમાં પણ પાણીના ઉપયોગથી કેવી રીતે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે અને દુ:ખ તેમજ  દરિદ્રતા ઘરની  બહાર પ્રસ્થાન કરશે. આ વિષયમાં મહત્વપૂર્ણ તથ્ય મળે છે.  
 
આવા કાર્ય કરવાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે. 
 
* પાણી દેવી લક્ષ્મીનું  પ્રતીક છે. જેના ઘરમાં પાણી નકામું વહે  છે તે ઘરમાં ધન પણ પાણીની સાથે જ વહી જાય છે અને ધનની દેવી લક્ષ્મી તે ઘરથી વિદાય લઈ લે છે અને એમની બેન અલક્ષ્મી ત્યાં પોતાનો  સ્થાયી નિવાસ બનાવી લે છે.
 
* ઘરને સાફ અને સ્વચ્છ કરવા માટે તેટલું  જ જળ લો જેટલી આવશ્યકતા હોય તેને નકામું ન વહાવો. કારણકે જળમાં લક્ષ્મીનો  વાસ ગણાય છે આથી પાણીના દુરૂપયોગ લક્ષ્મીને ઠોકર મારે છે અને અલક્ષ્મીને પોતાના ઘરે નિમંત્રણ આપે છે. 
 
* ક્યાં પણ પાણી વહેતુ  જુઓ તો તેને બંધ  કરાવો કે પોતે બંધ  કરી લો . એનાથી ધન લાભ થશે. 
 
* શુક્ર્વારે ખાસ કરીને સમુદ્રી મીઠા કે સિંધાલૂણ પાણીમાં નાખીને તેનાથી ઘરમાં પોતુ  લગાવો. ધૂળ કાઢવા માટે  પણ આ પાણીના પ્રયોગ કરો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. 
 
* જે ઘરોમાં નળ દ્વારા વ્યર્થ પાણી ટપકતું રહે છે. તે ઘરમાં ધનનો  સંચય નહી થઈ શકે. પાણીના આ અવાજથી ઘરનું  આભામંડળ પણ પ્રભાવિત થાય છે. 
 
* જે લોકો નદી, તળાવ  કે કુવાના જળમાં  મળમૂત્ર, થૂંક કોગળા કરે છે કે  તેને ગંદુ કરે છે, કે પછી તેમા માં કચરો નાખે છે , એ બ્રહ્મહત્યાના ભાગી બને છે. 
 
* પાણીને અંજલી  કે હથેળીમાં ભરીને ન પીવું જોઈએ. આવુ કરવાથી પણ  પાણી આસ-પાસ ટપકે  છે . જેથી દેવી લક્ષ્મી નારાજ થઈ  જાય છે અને અલક્ષ્મી આકર્ષિત થઈ તે સ્થાને નિવાસ સ્થાપિત કરી લે છે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments