Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ઘરનો નળ ટપકે છે તો વહી જશે તમારો પૈસો

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (17:03 IST)
જો તમે બરબાદ થવાથી બચવા માંગો છો તો તમારા ઘરના નળ પર ધ્યાન આપો.  તમારા ઘરમાં જો કોઈ નળ બંધ કરવા છતા  પણ પાણી સતત વહે છે કે ટપકે છે તો સમજી લેવુ જોઈએ ભવિષ્યમાં કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરના કિચન કે બાથરૂમ કે અન્ય કોઈ સ્થાન પર નળમાંથી પાણી ટપકે છે તો આ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે.  ખોટુ પાણી વહે એ પણ સારુ માનવામાં આવતુ નથી.  
 
વાસ્તુ અને ફેંગશુઈમાં બતાવ્યુ છે કે જે ઘરમાં નળ ટપકે છે ત્યા ફાલતૂ ખર્ચ વધુ થાય છે. પણ રસોડાનો નળ જો સતત ટપકતો રહે તો તે વધુ ખરાબ માનવામાં આવે છે. આ જ નળ તમને બરબાદી તરફ લઈ જાય છે. કારણ કે કિચનમાં અગ્નિનો વાસ હોય છે. જ્યા આગ અને પાણી એક સાથે થઈ જાય ત્યા બીમારીઓ, પરેશાનીઓ અને ફાલતૂ ખર્ચ શરૂ થઈ જાય છે. પાણી ફાલતુ વહેવાથી વરુણ દેવનો દોષ લાગે છે. શાસ્ત્રોમાં જળને પણ દેવતા જ માનવામાં આવે છે. જેના વગર કોઈપણ પ્રાણી માટે જીવન અશક્ય છે. તેનો અનાદર કરતા દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી. 
 
વાસ્તુ મુજબ નળમાંથી ફાલતૂ પાણી વહેવુ ઘરમાં અશુભ પ્રભાવને વધારે છે.  આવા ઘરમાં પૈસાની કમી રહે છે.  એવુ માનવામાં આવે છે કે જે રીતે નળમાંથી વ્યર્થ પાણી ટપકતું રહે છે એ જ રીતે ઘરમાંથી પૈસા જાય છે. ફાલતુ ખર્ચ પણ અનેક પ્રકારના હોય છે. જેવા કે ઘરમાં કોઈ સભ્યનુ બીમાર રહેવુ. કોઈ તૂટ ફૂટ થવી. વેપારમાં નુકશાન થવુ.  આ જ રીતે અન્ય હાનિ થઈ શકે છે.  ટપકતો નળ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ વધારે છે.  આ પ્રકારના ખર્ચથી બચવા માટે ઘરમાં જો નળ ટપકતો હોય તો તેને તરત ઠીક કરાવી લેવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments