Festival Posters

વાસ્તુ ટિપ્સ: બરબાદીના સંકેત આપે છે આવી દિવાલો, આ વાસ્તુ ટિપ્સ બનાવશે અમીર

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:47 IST)
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ચાર દિશાઓમાંથી ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘર બનાવતી વખતે ઉત્તર દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરની ઉત્તર દિશાનું વાસ્તુ જો યોગ્ય છે તો પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવતી રહે છે. આ સાથે ઘરના લોકો સ્વસ્થ રહે છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ચાલો જાણીએ કે ઘરની ઉત્તર દિશાના કયા દોષોને દૂર કરવાથી સુખ-શાંતિ બની રહે છે.
 
ઉત્તર દિશાના આ દોષોને દૂર કરવાથી રહેશે સુખ-શાંતિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિવાલોમાં તિરાડો પડવી અશુભ છે. આ સૂચવે છે કે પરિવારમાં વિવાદ છે. જો ઉત્તરની દીવાલમાં તિરાડ હોય તો તેનાથી પણ વધુ અશુભ પરિણામ મળે છે. આવી સ્થિતિમાં ઘરની સમૃદ્ધિ માટે ઉત્તર દિશાની દીવાલને તિરાડોથી મુક્ત રાખવી જોઈએ.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનો નળ ઉત્તર દિશામાં ન લગાવવો જોઈએ. વાસ્તવમાં આ દિશામાં લગાવવામાં આવેલ પાણીનો નળ ઘરમાં આર્થિક સંકડામણ ઉભી કરે છે. તેની સાથે ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં રસોડું ન બનાવવું જોઈએ. કારણ કે આ દિશામાં રસોડું બનાવવાથી ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે. આવી સ્થિતિમાં સુખ-શાંતિ માટે રસોડું આ દિશામાં ટાળવું જોઈએ.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશામાં ભૂગર્ભ જળ કુંડ બનાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેની સાથે ઘરના સભ્યોને પ્રમોશન મળે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તરમુખી ઈમારતમાં વધુને વધુ ખુલ્લી જગ્યા છોડવી જોઈએ, કારણ કે આ દિશા ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. બીજી તરફ ઉત્તર દિશામાં પૂજાનું ઘર બનાવવું વધુ સારું છે. આ સિવાય આ દિશામાં ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે. જેના કારણે ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગાંધીનગરમાં શંકાસ્પદ ટાઈફોઈડનાં અત્યાર સુધી 113 કેસ, ઈન્દોર જેવા ન થાય હાલ એ માટે ગૃહમંત્રી અમિત શાહે સાચવ્યો મોરચો

કોમનવેલ્થ 2030 પછી ભારત 2036 ઓલિમ્પિકની મેજબાની માટે તૈયાર, જય શાહે ભારતને 100 અને તેમાંથી 10 મેડલ ગુજરાતે લાવવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહિ રમે BAN', બાંગ્લાદેશનાં કાર્યકારી રમતગમત મંત્રીએ આપ્યું વાહિયાત નિવેદન

મસ્કે વેનેઝુએલા માટે કરી મોટી જાહેરાત, દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે સ્ટારલિંક

Weather Forecast - ગુજરાતમાં હજુ વધશે ઠંડી, મોસમ વિભાગનું એલર્ટ, ભારતનાં આ રાજ્યોમાં ધ્રુજાવી દેશે ઠંડી

આગળનો લેખ
Show comments