Dharma Sangrah

Vastu Tips: દિવાળી પહેલા કરી લો આ કામ, હંમેશા ભરેલી રહેશે તિજોરી

Webdunia
ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (15:35 IST)
laxmi vastu diwali
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રનુ મહત્વ આપણા જીવનમાં ખૂબ ઉંડુ છે. એવુ કહેવાય છે જે કો કોઈપણ કાર્ય કરતા પહેલા કે કરવા દરમિયાન તેમા બતાવેલા નિયમોનુ યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં ખુશીઓ અને પૈસા આવવાની સાથે જ ઘર પરિવારમાં ચાલતી સમસ્યા પણ દૂર થઈ શકે છે.  દિવાળી નજીક આવી રહી છે, અને આવામા આપણા વાસ્તુ શાસ્ત્રમા તેને લગતા કેટલાક નિયમો બતાવ્યા છે. આ લેખમાં, અમે એવા કેટલાક ઉપાયો બતાવીશુ જે તમારે દિવાળી પહેલા જરૂર અપનાવવા જોઈએ. એવી માન્યતા છે કે  જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે, અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
 
આ ઉપાયથી પૈસા આવવા શરૂ થઈ જશે. 
 વાસ્તુ નિષ્ણાતોના મતે, દિવાળી પહેલા તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તિજોરી મુકી દેવી  જોઈએ. જ્યારે તમે આવુ કરશો, ત્યારે પૈસા આવવા શરૂ થઈ જશે.  ઉપરાંત આ દિશામાં મુકેલી તિજોરી તમને અટકેલુ ધન કે પૈસાને પરત મેળવવામાં પણ મદદ કરી શકે છે.
 
 
કર્જથી છુટકારો મેળવવા માટે ઉપાય 
વાસ્તુ શાસ્ત્ર મુજબ જે પણ લોકો કર્જની સમસ્યાનો સમનો કરી રહ્યા છે એ લોકોને દિવાળી પહેલા ઘરની દક્ષિણ દિશામાં જ્વેલરી મુકી દેવી જોઈએ. જ્યારે તમે આવુ કરો છો તો તમારા પણ ભલે કેટલુ પણ કર્જ કેમ ન હોય તે ઉતરી જાય છે. 
 
 
મનોકામના પુરી કરવા માટે કરો આ ઉપાય  
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હો, તો તમારે ઘરની દક્ષિણ દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ. જો તમે દિવાળી પહેલા આ કરો છો, તો પરિણામો વધુ શુભ મળે છે. આ નાનકડા ઉપાયથી ભગવાન કુબેર  પ્રસન્ન થાય  છે અને તમારી બધી ઇચ્છાઓ પણ પૂરી થાય  છે.
 
નસીબ બદલવા માટે કરો આ કામ 
વાસ્તુના જાણકારો મુજબ જો તમે તમારુ નસીબ સંપૂર્ણ રીતે બદલવા માંગો છો તો  દિવાળી પહેલા બધા ડોક્યુમેંટ્સ ઘરની દક્ષિણ દિશામાં મુકી દો. આવુ કરવાથી તમારા પ્રોગ્રેસના બધા રસ્તા ખુલી જશે.  
 
બિઝનેસમા પ્રોગ્રેસ માટે કરો આ ઉપાય 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે વ્યવસાયમાં પ્રગતિ કરી રહ્યા નથી, તો તમારે ઘરની દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મીની મૂર્તિ મુકવી જોઈએ..દિવાળી પહેલા આ કરવાથી તમને થોડાક જ સમયમાં ફાયદો  ફાયદો થઈ શકે છે. વધુમાં, જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય, તો તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા

LoC પર તણાવ વધ્યો, પાકિસ્તાને સર્વેલન્સ કેમેરા લગાવવાથી ઉશ્કેરાઈને કેરન સેક્ટરમાં ગોળીબાર કર્યો

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે કર્યો આપઘાત, બે મહિના પહેલા જ થયા હતા લગ્ન

વસંત પંચમી પર વાવાઝોડા અને વરસાદની ચેતવણી, દિલ્હી સહિત 12 રાજ્યોમાં વરસાદની આગાહી

મૈસુર સિલ્ક સાડીઓનો ક્રેઝ મહિલાઓમાં આઇફોન જેટલો જ છે, સવારે 4 વાગ્યાથી જ લાઇનો લાગી જાય છે

આગળનો લેખ
Show comments