Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં ભૂલથી પણ ન મુકશો આ વસ્તુઓને, નહીં તો પરિવાર પર આવશે સંકટ

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (08:22 IST)
Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે  જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ વસ્તુઓ ન હોવી જોઈએ. 
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈલેક્ટ્રોનિક એટલે કે વિજળી સાથે જોડાયેલ સામાન અથવા ગરમી પેદા કરતા સાધનોને ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકવા જોઈએ. આવુ  કરવાથી પુત્ર પિતાની અવહેલના કરે છે અને તેમનું અપમાન કરે છે. તેમજ બેડરૂમમાં એવી જગ્યાએ કાચ કે અરીસો ક્યારેય ન મુકવો જ્યાંથી બેડ દેખાય. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
 
આ ઉપરાંત જો તમારો પ્લોટ ઉત્તર અને દક્ષિણમાં સાંકડો અને પૂર્વ અને પશ્ચિમમાં લાંબો હોય તો આવી જગ્યાને સૂર્યભેદી કહેવામાં આવે છે. તમારા પ્લોટ કે ઘરની આ ડિઝાઈન પિતા-પુત્રના સંબંધોમાં તિરાડની સ્થિતિ પણ ઉભી કરશે.
 
ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકશો જૂતા-ચપ્પલ 
 
ભૂલથી પણ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન તો જૂતા અને ચપ્પલ રાખવા જોઈએ અને ન તો ચંપલ-ચપ્પલ રાખવાની જગ્યા બનાવવી જોઈએ. આ સિવાય આ દિશામાં ગંદી વસ્તુઓ કે ડસ્ટબીન ન રાખવા જોઈએ. કારણ કે આ દિશામાં ગંદકી થવાથી આ દિશા દૂષિત થઈ જાય છે, જેના કારણે તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે
 
ઉત્તર-પૂર્વ દિશાને ન કરશો ગંદી
 
ઉત્તર-પૂર્વ દિશામાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ, કારણ કે આવુ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે પૈસાનુ આગમન   ધીમુ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments