Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - જે ઘરમાં હોય છે આ વસ્તુઓ, ત્યા ધન નહી દરિદ્રતા આવે છે...

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (00:14 IST)
ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments