Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિચન વાસ્તુ - આવુ કિચન ઘન અને ઉન્નતિ લાવે છે

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (15:45 IST)
કોઈપણ ઘરનુ સૌથી મુખ્ય સ્થાન હોય છે રસોડુ.  કારણ કે આ એ સ્થાન છે જ્યાથી ઘરમાં રહેનારા લોકો માટે ભોજન બને છે. તેથી કિચનને અન્નપૂર્ણાનુ ઘર પણ કહેવામાં આવે છે. 
 
પણ અનેકવાર કિચનમાં રહેલ વાસ્તુદોષને કારણે આ મકાનમાં રહેનારા લોકોનુ આરોગ્ય પણ પ્રભાવિત થાય છે. આર્થિક મામલામાં ઉતાર ચઢાવનુ એક મોટુ કારણ છે કિચનમાં રહેલ વાસ્તુદોષને પણ માનવામાં આવે છે. 
 
જો તમે કિચનના વાસ્તુ પર જરાક ધ્યાન આપશો તો શક્ય છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવમાં પણ કમી આવે.  
આવુ કિચન ઘન અને ઉન્નતિ લાવે છે. 
 
 
કિચનમાં ભોજન બનાવવાનુ કામ અગ્નિ દ્વારા થાય છે. તેથી કિચન માટે સૌથી ઉત્તમ દિશા દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિખૂણો માનવામાં આવે છે. 
 
આ દિશામાં કિચન હોવાથી ઘરની મહિલાઓ ખુશ અને સ્વસ્થ રહે છે. કિચનની અંદર મહિલાઓનું રાજ ચાલે છે. પરિવારમાં પરસ્પર તાલમેલ કાયમ રહે છે. 
કિચન ઉત્તર દિશામાં હોવુ આર્થિક દ્રષ્ટિથી સારુ રહે છે. જે ઘરમાં કિચન ઉત્તર દિશામાં હોય છે એ ઘરની મહિલા બુદ્ધિમાન હોય છે. ઘરની માલકિન બધા પ્રત્યે પ્રેમ રાખે છે. પણ પરિવારની મહિલાઓ વચ્ચે પરસ્પર તાલમેલ ઓછો રહે છે.  
 
જેમના ઘરમાં રસોડું પૂર્વમાં હોય છે. તેમના ઘરમાં ઘનનુ આગમન સારુ રહે છે. પણ ઘરની કમાન પત્નીના હાથમાં હોય છે. છતા તેમની પત્ની ખુશ નથી રહેતી. સ્ત્રી રોગ, પિત્ત રોગ અને નાડી સબંધી રોગનો તેમને સામનો કરવો પડે છે. 
 
કિચનમાં ક્યા હોય ગેસ સ્ટવ 
 
વર્તમાન દિવસોમાં જમવનું રાંધવા માટે સામાન્ય રીતે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો ઈંડક્શનનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. આ બંને પ્રકારના ચૂલ્યા માટે વાસ્તુ વિજ્ઞાનમાં દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિ દિશા ઉત્તમ બતાવાઈ છે.  

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments