Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરની નજીકમાં છે આ દેવી-દેવતાઓના મંદિર? વાસ્તુ દોષના નિવારણ માટે અપનાવો આ ઉપાય

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:48 IST)
શું તમારા ઘરની આસપાસ પણ મંદિર છે. જો હા તો આ સમાચાર ધ્યાનથી વાંચવા જોઇએ. જોકે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરની પાસે ઘર ન બનાવવું જોઇએ. તેની પાછળનું કારણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ કારણ વાસ્તુ દોષ છે. એટલા માટે આજે પણ તમારા માટે કેટલી ટિપ્સ લઇને આવ્યા છીએ. જેને ફોલો કરી તમે કોઇપણ પ્રકારના વાસ્તુ દોષથી બચી શકો છો. આવો જાણીએ તેના વિશે..
 
દેવીનું મંદિર
જો તમારા ઘરની પાસે દેવી માતાનું મંદિર છે તો તમારા ઘરના મેન ગેટ પર તે દેવીના અસ્ત્રના પ્રતીકની સ્થાપના કરો. સાથે જ દેવી માતાનું ચિત્ર દરવાજા પર લગાવો. તમે દેવી મા ના વાહનનું પણ ચિત્ર લગાવી શકો છો. 
 
લક્ષ્મી મંદિર
ઘરની પાસે જો ભગવતી લક્ષ્મી મંદિર છે તો દરવાજા પર કમળનું ચિત્ર બનાવડાવો. તમે બીજા ઉપાય પણ કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુનું ચિત્ર પણ લગાવો અને દરરોજ કમળની માળા પહેરાવો. 
 
શિવ મંદિર 
જો તમારા ઘરની નજીક શિવ મંદિર છે તો તે દિશા તરફ ગણપતિ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. જો શિવ મંદિર તમારા ઘરની બિલકુલ સામે છે તો ઘરના મુખ્ય દરવાજા પર તાબાનો સાપ લગાવો.   
 
ભૈરવનાથ મંદિર
જો ઘરની સામે ભૈરવનાથ મંદિર છે તો રોજ પોતાના મેન ગેટ પર કાગડાને રોટી ખવડાવો. 
 
રામ મંદિર
જો ભગવાન શ્રીરામના મંદિર પાસે તમારું ઘર છે તો તમારો વાસ્તુ દોષથી મુક્તિ માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તીરવિહિન ધનુષનું દિવ્ય ચિત્ર બનાવવું જોઇએ.  
 
અન્ય અવતારનું મંદિર
જો તમારુ ઘર કોઇ અન્ય અવતારના મંદિરની પાસે છે તો તમારા મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઇએ. પંચમુખી હનુમાન જી દરેક પ્રકારના વાસ્તુદોષથી મુક્તિ આપે છે અને સુરક્ષા પુરી પાડે છે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments