Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્ર - ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

Webdunia
મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય. 

- ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

- ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

- ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

- બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

- પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.

- ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments