Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ભૂલોના લીધે ઘરમાં થતો નથી લક્ષ્મીનો વાસ! થાય છે પૈસાની બરબાદી

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (09:06 IST)
ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે. પરિણામે આર્થિક નુકસાન થાય છે. ચાલો જાણીએ વાસ્તુની તે ભૂલો વિશે.
 
આ ભૂલોને કારણે થતી નથી બરકત
વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાલ પર બંધ પડેલી ઘડિયાળથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં ક્યારેય બંધ કે તૂટેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. આ સિવાય ટેબલ પર પડેલી ઘડિયાળથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. એવામાં તેને તાત્કાલિક સુધારો કરવો જોઇએ. 
 
- સૂકા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા છોડ ન હોવા જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નળમાંથી ટપકતું પાણી, પાઇપમાંથી વહેતું પાણી અથવા બિનજરૂરી પાણીનો બગાડ વાસ્તુ દોષ પેદા કરે છે. આવા વાસ્તુ દોષોને કારણે ધનનો વ્યય થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરને સ્વચ્છ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. બીજી તરફ ઘરને ગંદુ રાખવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. આર્થિક નુકશાન પણ થાય છે.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments