Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંત્રોલીથી અમદાવાદ આવતી ST બસ ખીચોખીચ ભરાઈ જતાં ગ્રામજનોએ વિરોધ કર્યો

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2023 (13:28 IST)
Villagers protested as the ST bus coming from Antroli to Ahmedabad was overcrowded
અંત્રોલીથી અમદાવાદ વચ્ચેના રૂટ પર આવતા ગામડાઓના લોકો અને વિદ્યાર્થીઓ આ બસનો ઉપયોગ કરે છે, પરંતુ આ રૂટ પર માત્ર એક જ બસ હોવાથી મુસાફરોને હાલાકી ભાગોવી પડે છે. બીજી બસ શરૂ કરવા અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી દધાલિયા પાસે ગ્રામજનોએ બસને રોકી વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ રૂટ પર બીજી બસ શરૂ કરવા માગ કરી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા પાસે અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં દરરોજ ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બસમાં રોજબરોજ 140થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાંય ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. RTOના નિયમ વિરુદ્ધ અંત્રોલી-અમદાવાદ બસમાં મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. બસચાલકે બસ રોકવાની ઘટનાને લઈ ડેપો મેનેજરને જાણ કરી હતી. સ્કુલ-કોલેજના ટાઇમે વિદ્યાર્થીઓએ બીજી બસ શરૂ કરવા તંત્ર પાસે માગ કરી હતી. બસમાં કેપિસીટીથી ત્રણ ગણા વધુ મુસફરોને ભરવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં.આ અંગે અંતોલીથી અમદાવાદ જતી ST બસના કંડક્ટરે જણાવ્યું હતું કે, મેં સાહેબને રજૂઆત કરેલી છે કે આ બસમાં 140થી 150 જેટલા મુસાફરો અવર-જવર કરે છે. અમે અધિકારીને આ પરિસ્થીતી અંગે જાણ કરી છે અને રીપોર્ટ પણ બતાવ્યો છે. ત્યારે આજે દઘાલીયા ગામે મુસાફરોએ બસમાં બેસવા માટે બસ રોકી છે. આ બસમાં મુસાફરી કરતા લોકો અને વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલા છે અને તેમને બસમાં બેસવા મળતું ન હોવાથી તેઓએ આજે બસને રોકી વિરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments