Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરીબોટ સેવા ખરાબ હવામાનને લીધે બંધ કરાઈ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2023 (13:22 IST)
Passenger ferry service between Okha-Bet Dwarka suspended due to bad weather

યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે અચૂકપણે ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરીબોટ સેવાનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ આજે ભારે પવન હોવાથી પાણીમાં પણ કરંટ જોવા મળ્યો હતો. જેના લીધે ફેરીબોટ સેવાની સંચાલન કરતી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા હાલ પૂરતો ફેરીબોટ સેવાને બંધ કરી દેવાઈ છે.

ભારે પવન અને ભારે મોજા હોવાથી બોટને જેટી પર લંગારવામાં મુશ્કેલી આવી રહી હતી અને બહારગામથી પધારતા ભક્તોની સુખાકારી માટે જીએમબી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરીથી પવનની ગતિ શાંત થતા ફેરીબોટ પુ:ન શરૂ કરી દેવામાં આવશે તેવું ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઓખા બંદર ખાતે હાલમાં દરીયાના પાણીમાં જોવા મળતાં કરંટ અને ભારે પવનને લીધે પ્રતિકૂળ વાતાવરણ ન હોય મુસાફરોની સલામતી કાજે ઓખા બેટ દ્વારકા વચ્ચે યાત્રીકોના અવર-જવર માટે ચાલી પેસેન્જર ફેરીબોટ સેવાને બંધ કરવામાં આવી છે. વાતાવરણમાં સુધાર થયે આ પેસેન્જર ફેરીબોટ સર્વિસ પુનઃ રાબેતા મુજબ કરાશે એમ મેરીટાઈમ બોર્ડની યાદીમાં જણાવાયું છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

આત્મહત્યા કરતા પહેલા 22 વર્ષના છોકરાએ સાડી પહેરીને ફાંસી લગાવી; લિપસ્ટિક અને કાજલ પણ લગાવી

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

આગળનો લેખ
Show comments