Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબમાં PMની સુરક્ષામાં મોટી ચૂક 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયા PM મોદી, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપો

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (15:57 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને ખરાબ વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોઈ.  જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તેમણે રોડ દ્વારા નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.

<

Security breach in PM Narendra Modi's convoy near Punjab's Hussainiwala in Ferozepur district. The PM's convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n

— ANI (@ANI) January 5, 2022 >
 
પંજાબના ડીજીપી દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા. PMનો કાફલો જ્યારે હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓ દ્વારા રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. પીએમ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ચૂક હતી.

પંજાબ સરકારને પીએમના કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી
 
પંજાબ સરકારને પ્રધાનમંત્રીના કાર્યક્રમની અને પ્રવાસની યોજના વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા પર કોઈના પણ  દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવામી હતી જેનો પુરો અભાવ હતો 
 
 
ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો
આ સુરક્ષા ચૂક બાદ, ભટિંડા એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ચૂકની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments