Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુબઈ જઈ રહેલા 3 પેસેન્જર પાસેથી 4 લાખ ડોલર મળ્યા, હવાલા માટે ઉપયોગ કરાતો હોવાની શંકા

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (15:42 IST)
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરતના ત્રણ લોકો દુબઇ જઈ રહ્યા હતા. આ મુસાફરોના બેગમાં અંદાજે 4 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા. પકડાયેલા મુસાફરો પાસેથી મળેલા વિદેશી કરન્સીનું ભારતીય મૂલ્ય રૂ.3 કરોડ જેટલું થાય છે. આ મુસાફરોને કસ્ટમના અધિકારીઓએ ઝડપીને વધુ પૂછપરછ આરંભી છે.

વિદેશી હવાલા માટે આ નાણાંનો ઉપયોગ કરતો હોવાનું મુસાફરોની પ્રાથમિક વિગતોને આધારે જાણવા મળ્યું હતું. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર રાત્રે દુબઈ જઈ રહેલા પેસેન્જરની બેગનું સ્કેનિંગ કરી રહેલા સીઆઈએસએફના જવાનોને એક પેસેન્જરની બેગમાં વાંધાજનક વસ્તુ દેખાઈ હતી, જેથી સીઆઇએસએફે કસ્ટમના એર ઇન્ટેલિજન્ટ એજન્સીને જાણ કરી હતી, જેથી કસ્ટમના અધિકારીઓ આ પેસેન્જરની ડિટેલ મેળવી તપાસ માટે બોલાવ્યો હતો, જેમાં પેસેન્જર પાસે રહેલી હેન્ડ બેગમાંથી 48 હજાર યુએસ ડોલર મ‌ળ્યા હતા. આ પેસેન્જરની પૂછપરછ કરતા તે સુરતના ઋષભ મોરાડિયા હોવાનું અને તેની સાથે બીજા બે પેસેન્જર ટ્રાવેલ કરતાં હોવાનું જણાવ્યું હતું, જેમાં સુરતના સંજય ગોઘારીની બેગમાંથી 1.50 લાખ યુએસ ડોલર અને ગૌરાંગકુમાર નાઈની બેગમાંથી 2 લાખ યુએસ ડોલર મળ્યા હતા. અા ત્રણેય પાસેથી કુલ 4 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

આગળનો લેખ
Show comments