Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ બર્નિંગ મીલ: કરજણ ટોલનાકા નજીક મીલમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6 ટીમે ઘટનાસ્થળે

Webdunia
શનિવાર, 29 મે 2021 (08:18 IST)
રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદર અને પાદરાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે સુધી આગ ઓલવાની કામગીરી ચાલી હતી. 
 
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે માંડી સાંજે કરજણ ટોલનાકા પાસે આવેલી ઇસ્કોન પેપર મીલમાં આગ લાગી હોવાનો કોલ આઅવ્યો હતો. જેના પગલે વડોદરા અને પાદરાથી ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
 
ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવાનો આવ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી કાબુ પર કાબૂ મેળવાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments