Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના - ઠાણેમાં 26 વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ પડતા 7ના મોત, અનેક દબાયા હોવાની આશંકા

Webdunia
શનિવાર, 29 મે 2021 (07:48 IST)
મહારાષ્ટ્રમાં ઠાણે જીલ્લાના ઉલ્હાસનગરમાં શુક્રવારે 5 માળની બિલ્ડિંગનો સ્લૈબ પડી ગયો. તેમા ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા. 4 થી 5 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારમાં એક મહિનામાં આ બીજી ઘટના છે. 
 
રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે નહેરુ ચોક વિસ્તારમાં આવેલી ઇમારતનું નામ સાંઇ સિદ્ધિ છે. તેના 5 માં માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7  મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે. 
 
બે અઠવાડિયા પહેલા પણ બની હતી આવી ઘટના 
 ઉલ્હાસનગર ટાઉનશીપમાં  આ જ રીતે 15 મેના રોજ ગેરકાયદેસર બિલ્ડિંગનો સ્લેબ તુટી પડ્યો હતો. આ બિલ્ડિંગ ચાર માળની હતી અને તેના ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારબાદ અન્ય માળના સ્લેબ પણ પડવા માંડ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બચાવ ટીમે 11 લોકોને બહાર કાઢ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments