Yogi Cabinet:ઉત્તર પ્રદેશમાં ભાજપની શાનદાર જીત બાદ તમામની નજર યોગી કેબિનેટ પર ટકેલી છે. આ વખતે યોગી કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે. યુપી કેબિનેટમાં કયા નેતાઓને મંત્રી બનાવવામાં આવશે તેનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. યોગી કેબિનેટના સંભવિત મંત્રીઓનું લિસ્ટ સામે આવ્યુ છે, તેને મંજૂરી મળવાની બાકી છે. શુક્રવારે શપથ ગ્રહણ સમારોહ બાદ સ્પષ્ટ થશે કે કયા નેતાને મંત્રી બનાવવામાં આવશે.
20 થી 25 મંત્રીઓ રિપીટ થઈ શકે છે
યોગી આદિત્યનાથ શુક્રવારે 25 માર્ચ, 2022ના રોજ યુપીના સીએમ તરીકે બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકારના કેબિનેટ 2.0માં 2 ડઝન કેબિનેટ મંત્રીઓ હોઈ શકે છે. લગભગ 12 લોકોને રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવી શકે છે. યોગી સરકારમાં 33 મંત્રીઓ જીત્યા છે, જેમાંથી 20 થી 25 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. સુરેશ ખન્નાને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવી શકે છે. સાથે જ હારેલા મંત્રીઓમાંથી ત્રણ મંત્રીઓને પણ રિપીટ કરવામાં આવી શકે છે. ચાલો તમને જણાવીએ કે યુપીના સંભવિત મંત્રીઓની યાદીમાં કોણ કોણ સામેલ છે.