Webdunia - Bharat's app for daily news and videos

Install App

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દયાબેનને વિચિત્ર અવાજમાં બોલવાને કારણે ગળાનુ કેન્સર થયુ ?

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (19:25 IST)
ભારતના સૌથી પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દિશા વાકાણી  (Disha Vakani)ઉર્ફે દયાબેન (Dayaben) ને ગળાનું કેન્સર થયું (Throat cancer) છે. ઈન્ટરનેટ પર આ  સમાચાર વાયરલ થઈ રહ્યા છે. દિશા તેના અનોખા અવાજમાં વાત કરવા માટે જાણીતી છે. એવું માનવામાં આવે છે કે લાંબા સમય સુધી આ વિચિત્ર સ્વરમાં વાત કરવાને કારણે તેને ગળાનું કેન્સર થયું છે. એવા અહેવાલો છે કે ગળાના કેન્સરને કારણે તેણે લાંબા સમયથી ચાલતા ટીવી શોમાંથી બ્રેક લીધો છે. 
 
શોમાં દયાબેનના ભાઈ બનેલા સુંદર ઉર્ફે મયુર વાકાણીએ એક ખાનગી મીડિયાને કહ્યું, “મીડિયામાં આવતા આવા તમામ અહેવાલો ખોટા છે અને આમાંથી કોઈ પણ દાવા સાચા નથી. તે (દિશા) સ્વસ્થ છે. દરરોજ આપણને તેના વિશે પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે પરંતુ ચાહકોએ તેમાંથી કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
 
આ શોમાં દિશાનો અવાજ તેના અસલ અવાજથી તદ્દન અલગ છે. અગાઉના એક ઇન્ટરવ્યુમાં, તેણે અવાજ વિશે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે શો માટે અલગ અવાજ જાળવી રાખવો તેના માટે ખૂબ મુશ્કેલ હતું.
શુ ગળાનુ કેન્સર અવાજ બદલવા સાથે સંકળાયેલુ છે ? 
 
ગળાનું કેન્સર ત્યારે થાય છે જ્યારે કેન્સર વોકલ કોર્ડમાં વધે છે. આ પ્રકારનું કેન્સર તમાકુના સેવન, વધુ પડતા આલ્કોહોલનું સેવન, વાઇરલ ઇન્ફેક્શન અને ક્યારેક ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગને કારણે થાય છે. અવાજમાં ઇરાદાપૂર્વકના ફેરફારો સાથે તેનો સીધો સંબંધ હોય એવા કોઈ ઉદાહરણ નથી અને તે શોધી શકાતો નથી, સ્વરમાં ફેરફાર કેન્સરના આ સ્વરૂપની પ્રારંભિક નિશાની છે.
 
ગળાના કેન્સરના અન્ય લક્ષણો
 
ગળાના કેન્સરના અન્ય લક્ષણોમાં ગળતી વખતે દુખાવો, ગરદનમાં ગઠ્ઠો, લાંબી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, સતત ગળામાં દુખાવો, કાનમાં દુખાવો, શ્વાસ લેતી વખતે ઘરઘરાટી અને ભારે થાક છે.
 
રાજ કુમાર ગળાના કેન્સરથી પીડિત હતા
 
ભૂતકાળના સુપરસ્ટાર રાજ કુમાર પણ ગળાના કેન્સરથી પીડિત હતા. તેમના કર્કશ અને ભારે અવાજ માટે જાણીતા, રાજકુમાર સૌદાગર તિરંગા અને પાકીઝા જેવી ફિલ્મો માટે ચાહકોમાં અત્યંત લોકપ્રિય હતા.
 
ચાહકો દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે
 
દિશાના ફેન્સ અને ફોલોઅર્સ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશના સૌથી લાંબા સમય સુધી ચાલતા ટીવી શોમાંનો એક છે અને તેના 3500 થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે. આ શોનું પ્રીમિયર 28 જુલાઈ 2008ના રોજ થયું હતું.
 
ડિસ્ક્લેમર : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments