Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ સાધ્યો

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (18:55 IST)
જાપાનના ટોક્યો શહેરમાં 23 મી માર્ચ થી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિક્સનું આયોજન થનાર છે.  દેશના 100 થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. 
ટોક્યો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દિકરીઓ પસંદગી પામી છે. જેઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ ટોક્યો ઓલમ્પિક્સમાં કરશે.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઓલમ્પિક્સની વિવિધ રમતોમાંથી 15 ખેલાડીઓ સાથે વડાપ્રધાનશ્રીએ વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંવાદમાં ગુજરાતની દિકરીઓ પણ જોડાઇ હતી. 
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની શુટિંગ સ્પર્ધા સાથે જોડાયેલ એલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ સાધ્યો હતો. વડપ્રધાનશ્રી સાથેના સંવાદમાં એલાએ કહ્યુ કે, બાળપણથી જ વિવિધ રમતોમાં તેની રૂચિ હતી પરંતુ શુંટિગ સાથે વધારે લાગણીઓ જોડાઇ અને રસ વધતા તેણે શુટિંગ માં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિશ્ચય કર્યો. 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને મણિનગર વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારે ખોખરામાં સ્પોર્ટસ એકેડમી શરૂ કરી હતી તે સમયગાળામાં એલા પ્રેક્ટિસ માટે ત્યાં આવતી હતી તે સંસ્મરણો વડાપ્રધાનશ્રીએ વાગોડ્યા હતા.સંસ્કારધામમાં શુટિંગ પ્રેક્ટિસ ની શરૂઆત કરી હતી. 
એલાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા , ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટિના મળેલ સહકાર ને આપ્યો હતો. અમદાવાદ શહેરના સંસ્કારધામની સ્પોર્ટસ એકેડમી થી એલા ના માતા-પિતા જોડાયા હતા.
અમદાવાદ શહેરની સ્વીમર માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન શ્રી સાથેના સંવાદમાં જોડાઇ હતી. 
વડાપ્રધાનશ્રીના શબ્દોએ તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પણ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહેલા તમામ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments