Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે આ વાતો રાખો હંમેશા યાદ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (07:30 IST)
આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ કારગર સાબિત થાય છે. અનેક લોકો આચાર્ય ચાણક્યની નીતિઓનુ પાલન કરી સુખી જીવન વ્યતીત કરે છે. આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીના સંબંધો પવિત્ર અને મજબૂત હોય છે. દાંપત્ય જીવનના કમજોર પડવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે  પતિ-પત્નીને દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આચાર્ય ચાણક્યની આ વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ.  આ વાતોનુ ધ્યાન રાખવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાય જશે અને તમને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે. આવો જાણીએ દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ 
 
પતિ-પત્નીનો સંબંધમાં પ્રેમ જરૂરી  - આચાર્ય ચાણક્ય મુજબ્બ પતિ-પત્નીના સંબંધો પ્રેમની ડોરથી બંધાયેલા હોય છે. આ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેમમાં ક્યારેય કમી ન આવવી જોઈએ. જો દાંપત્ય જીવનમાં પ્રેમનો અભાવ રહેશે તો પતિ-પત્નીના સંબંધો કમજોર પડી જશે. 
 
એક-બીજાનુ સન્માન કરવુ જોઈએ - આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીએ એકબીજાનુ સન્માન કરવુ જોઈએ. જો તમે તમારા જીવનસાથીનુ સન્માન નહી કરો તો તમારા સંબંધોમાં દરાર પડી શકે છે. સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાન સન્માન કરવુ ખૂબ જરૂરી હોય છે 
 
મનદુખ થતા વાત કરવી બંધ ન કરો - આચાર્ય ચાણક્ય મુજબ દરેક સંબંધોમાં થોડી ઘણી કચાશ તો રહે છે. તેથી મનદુખ થાય કે કોઈ વિવાદ થાય તો વાત કરવી બંધ ન કરવી જોઈએ. જો તમે વાત કરવી બંધ કરી દેશો તો સમસ્યા વધી જશે.  કોઈપણ સમસ્યાનુ સમાધાન પરસ્પર વાતચીત દ્વારા જ કાઢી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments