Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ - રોજ આ વસ્તુઓનુ સેવન કરનારો વ્યક્તિ રહે છે સ્વસ્થ, બીમારીઓ રહે છે દૂર

ચાણક્ય નીતિ - રોજ આ વસ્તુઓનુ સેવન કરનારો વ્યક્તિ રહે છે સ્વસ્થ, બીમારીઓ રહે છે દૂર
, મંગળવાર, 11 મે 2021 (07:22 IST)
આજે પણ આચાર્ય ચાણક્યની નીતિઓ ઘણી લોકપ્રિય છે. આચાર્ય ચાણક્યએ સફળ જીવન જીવવા માટે ઘણી નીતિઓની બતાવી છે. આ નીતિઓનું પાલન કરીને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે. સફળ થવા માટે સ્વસ્થ રહેવું પણ ખૂબ મહત્વનું છે. સ્વસ્થ રહેવા માટે, ખાવા પીવાની વિશેષ કાળજી લેવી પડશે. આચાર્ય ચાણક્યએ કહ્યું કે વ્યક્તિએ તેમના આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં સ્વસ્થ રહેવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપી છે. ચાલો જાણીએ તંદુરસ્ત રહેવા માટે કઈ બાબતો લેવી જોઈએ
 
આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં બતાવ્યુ છે કે કંઈ વસ્તુઓનુ સેવન સ્વસ્થ રહેવા માટે જરૂરી હોય છે.
 
अन्नाद्दशगुणं पिष्टं पिष्टाद्दशगुणं पयः 
पयसोऽष्टगुणं मांसं मांसाद्दशगुणं घृतम्
 
 વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે અનાજનું સેવન કરવું જોઈએ. દળેલુ  અનાજ એટલે કે લોટ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રોટલી લોટમાંથી બનાવવામાં આવે છે, જે વ્યક્તિને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. રોટલીનુ સેવન કરવાથી પાચકતંત્ર પણ મજબૂત બને છે.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે લોટ કરતા પણ વધારે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લોટ દૂધ કરતાં દસ ગણી વધુ  શક્તિ પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. રોજ નિયમિત દૂધનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો. દૂધનું સેવન હાડકાં માટે પણ ફાયદાકારક છે.
 
માંસાહારને દૂધ કરતા વધુ તાકતવર બતાવ્યુ છે.  પરંતુ આચાર્ય ચાણક્ય અનુસાર માંસાહાર કરતાં 10 ગણા વધુ શક્તિશાળી ઘી હોય છે. નિયમિતપણે ઘીનું સેવન કરવાથી તમે રોગોથી દૂર રહી શકો છો. સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ દરરોજ ઘીનું સેવન કરવું જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Remedies- જાણો નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે? અજમાવો આ ઘરેલૂ ઉપાય