Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti: આચાર્ય ચાણક્ય મુજબ એવા લોકોનો પીછો છોડતો નથી, નિષ્ફળતા અને નુકશાન

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (00:46 IST)
જો આચાર્ય ચાણક્યની નીતિઓની વાત કરીએ તો બતાવી દઈએ કે સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્ય એ.( Chandragupta Maurya )પણ તેમના વિચારોને અપનાવીને મગધ સામ્રાજ્ય પર રાજ કર્યુ. તેમની નીતિઓ એટલી પ્રભાવી હતી કે નંદ વંશનો નાશ પણ તેમની જ મદદથી થયો. ચાણક્યએ ફક્ત રાજનીતિ જ નહી સમાજ (Society) ના પણ દરેક વિષયનુ ઊંડાણથી નોલેજ અને પરખ હતી. આચાર્ય ચાણક્યે એક  નીતિ શાસ્ત્રની રચના પણ કરી છે.  જેમા તેમને સમાજના લગભગ દરેક વિષયો સાથે સંબંધિત જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય ( Chanakya Niti )ના નીતિ ગ્રંથમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલ અનેક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
લાઈફ કોચ કહેવાતા ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે વ્યક્તિનું વર્તન તેને જીવનમાં કેવી રીતે સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ આપી શકે છે. આચાર્ય ચાણક્યએ પણ આવા લોકો વિશે જણાવ્યું છે, જેમને ઘણીવાર નુકસાન અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જાણો આવા લોકો વિશે
 
ટાઈમનુ મહત્વ - આચાર્ય ચાણક્યના મતે જે લોકો સમયનું મહત્વ નથી સમજી શકતા તેઓને ઘણીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ચાણક્ય કહે છે કે આવા લોકો જલ્દી પરેશાનીઓ સાથે ઘેરાય જાય છે. વાસ્તવમાં, એક વખત પસાર થયેલો સમય પાછો આવતો નથી. કરિયર અને સ્થિર જીવન માટે દરેક ક્ષણ કિંમતી છે અને તેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
 
ગુસ્સો - આચાર્ય ચાણક્ય અનુસાર ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. જે લોકો ગુસ્સા પર કાબુ રાખી શકતા નથી, તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, નિષ્ફળતા પણ એવા લોકોને પરેશાન કરે છે.  જોવા જઈએ તો  ગુસ્સામાં ડૂબેલી વ્યક્તિને લોકો પસંદ કરતા નથી.  સાથે જ આવા લોકો સાથે લોકોને બેસવું અને ઉઠવું ગમતું નથી.
 
આવકથી વધુ ખર્ચ - ચાણક્ય મુજબ આપણે બધાએ આપણી આવક મુજબ જ ખર્ચ કરવો જોઈએ. મોટેભાગે લોકો પોતાની આવકથી વધુ ખર્ચ કરવો શરૂ કરી દે છે. તેમની આ ટેવને કારણે તેમને એક સમય પર આર્થિક તંગીની હાલતનો સામનો કરવો પડી શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસા જમા કરવા જોઈએ. કારણ આ એક સમય પર કામ આવે છે. 
 
ધનની બરબાદી - ચાણક્ય નીતિ મુજબ ધનની દેવી મા લક્ષ્મી જી ચંચળ સ્વભાવની  હોય છે. તેઓ ક્યારેય એક સ્થાન પર ટકી રહેતી નથી. જો મા લક્ષ્મીના આશીર્વાદથી ધનની  પ્રાપ્તિ થઈ છે તો ધનને બરબાદ ન કરવુ જોઈએ. કોઈપણ સાધનનો ખોટી રીતે ઉપયોગ કરવાથી તેનુ અસ્તિત્વ સમાપ્ત થવા માંડે છે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments