Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chanakya Niti : આચાર્ય ચાણક્યના 5 એવા મંત્ર જે તમારા વ્યક્તિત્વને બદલી શકે છે

Chanakya Niti : આચાર્ય ચાણક્યના 5 એવા મંત્ર જે તમારા વ્યક્તિત્વને બદલી શકે છે
, શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (00:24 IST)
આચાર્ય ચાણક્યનું માનવુ છે કે સુંદરતા જ સર્વસ્વ નથી, જો તમારી પાસે સુંદરતાની સાથે જ્ઞાન, વિદ્યા અને સમજણ ન હોય તો તમે પલાશના ફૂલ જેવા છો જે સુંદર દેખાય છે, પરંતુ સુગંધ નથી. તેથી, વ્યક્તિને તેના ગુણો દ્વારા ઓળખો રૂપ દ્વારા નહી. 
 
આચાર્ય ચાણક્ય કહે છે કે તમારો પુત્ર તમારી સંપત્તિનો માલિક છે, આ વિચાર ખોટો છે. વિદ્વાન માણસ મિલકત તેમના હાથમાં સોંપે છે જે તેને સાચવવાની અને તેનો સારો ઉપયોગ કરવાની કુશળતા ધરાવતા હોય. તેથી તમારી મિલકત ફક્ત યોગ્ય વ્યક્તિને જ આપો.
 
ચાણક્ય નીતિ કહે છે કે જો તમે તમારા મનને કેળવતા શીખી લીધુ છે તો આનાથી મોટી કોઈ તપસ્યા નથી. જો તમે સંતુષ્ટ થવા માંડો તો તેના જેવું કોઈ સુખ નથી. જો તમે તમારા લોભને કાબૂમાં રાખ્યો છે, તો સમજો કે તમે બહુ મોટી બીમારીને કાબૂમાં કરી લીધી છે કારણ કે લાલચ સમાન કોઈ લોભ નથી. તેવી જ રીતે, દયા જેવો કોઈ ગુણ નથી.
 
આચાર્ય ચાણક્ય અનુસાર, દીવો અંધકારને ભસ્મ કરે છે, તેથી તે કાળો ધુમાડો બનાવે છે. ઠીક એ જ રીતે, આપણે જેવો  ખોરાક ખાઈએ છીએ, તેવુ જ આપણું મન થઈ જાય છે. સાત્વિક, રાજસિક, તામસિક ખોરાકની અસર પણ વ્યક્તિના વિચારોને પ્રભાવિત કરે છે.
 
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે જો તમે શિક્ષણ મેળવ્યું છે, તો તમને દરેક જગ્યાએ માન મળશે. વિદ્વાન વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જાણે છે, તે જ્યાં જાય છે ત્યાં જ્ઞાન ફેલાવે છે. તેથી જ તેને દરેક જગ્યાએ સન્માન મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોક્ટરો સફેદ રંગનો કોટ કેમ પહેરે છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે? why doctors wear white coat