Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા નાના-મોટા કાર્યમાં સફળતા અપાવશે આ ઉપાયો

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (11:52 IST)
દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો બધા જ વિધ્ન કે અંતરાયો કહી શકાય. તેને દૂર કરવામાં આવે તો જ તમને ધારી સફળતા મળી શકે છે. તમારે પણ તમારા કામમાં સફળતા મેળવવી હોય તો નીચે જણાવેલ ઉપાયો અજમાવી જુઓ. 
 
તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે - કોઈ ધાર્યુ કામ થતુ ન હોય તો પીળા કપડાંને ધ્વજના આકારમાં બનાવી અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર પર ચઢાવવાથી કાર્યમાં સફળતા મળે છે. 
 
પ્રમોશન મેળવવા માટે - શુક્લ પક્ષના સોમવારે સિધ્ધિયોગમા ત્રણ ગોમતી ચક્ર એક ચાંદીના તારમાં પરોવીને હંમેશા પોતાની પાસે જ રાખવા. 
 
કોર્ટમાં કેસ જીતવા - પાંચ ગોમતી ચક્ર ખિસ્સામાં મુકીને કોર્ટમાં જવાથી કેસનો ચુકાદો તમારા તરફેણમાં આવશે. 
 
વ્યવસાયમાં લાભ મેળવવા - જો તમારો વ્યવસાય સારી રીતે ચાલતો ન હોય અથવા ગ્રાહક ઓછા આવતા હોય કે પછી તમારો વ્યવસાય કોઈના દ્વારા બાંધી દેવામાં આવ્યો હોય તો દુકાનના પૂજા સ્થળ પર કે વ્યવસાયના પૂજા સ્થાન પર સુદ પક્ષના શુક્રવારે અમૃતસિદ્ધ દાનદા યંત્ર રાખવુ પછી નિયમિત રૂપે અગરબત્તી ધૂપ કરીને તેના રોજ દર્શન કરવા આવુ કરવાથી તમને ધંધામાં ફાયદો થશે. 
 
એકચિત્તે ભણવા માટે - સુદ પક્ષના રવિવારે આમલીના 22 પાન લઈ આવવા અને તેમાંથી અગિયાર પાન સૂર્ય દેવને "ૐ સૂર્યાય નમ:' બોલતા સૂર્ય દેવને ચઢાવવા, બાકીના અગિયાર પાન પોતાના પુસ્તકમાં મુકીને 'ૐ હી&ં શ્રી કર્લી સરસ્વતૈ નમ: ' મંત્રનુ ઉચ્ચારણ કરવાથી અભ્યાસમાં રુચિ વધશે. 
 
પરિક્ષામાં સફળતા મેળવવા માટે - પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવો અને બુધવારે ગણપતિ મંદિરમાં જઈને તેમને મગના લાડુનો નૈવૈધ અર્પણ કરી ગણપતિ બાપાને પ્રાર્થના કરવી.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments