Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનપ્રાપ્તિ માટે રાશિ મુજબ અચૂક મંત્ર અને ધન પ્રાપ્તિના સામાન્ય ટોટકે

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2017 (14:21 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય છે. આ રીતે દરેક ગ્રહનો એક ઈષ્ટ દેવતા પણ હોય છે. જો કોઈ સ્વામી ગ્રહના ઈષ્ટ દેવતાને પ્રસન્ન કરી લેવાય તો કોઈ પણ જાતકના જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
 
મેષ -  રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના જાતકોના જીવનમાં આવી રહેલી બધી સમસ્યાઓ માટે જો ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવે તો આ ખૂબ મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
મંત્ર- ૐ હનુમતે નમ: નો જાપ દરરોજ કરવાથી, આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળે છે. 
 
વૃષભ -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર ગણાય છે.  આ રાશિના જાતકોએ ધન સંબંધિત બધી સમસ્યાઓના અંત માટે માતા દુર્ગાની પૂજા કરવી લાભદાયક સિદ્ધ હોઈ શકે છે. 
 
મંત્ર- ૐ દુર્ગાદેવયૈ નમ:ના જાપથી નાણાકીય સમસ્યાઓના અંત હોય છે. 
 
મિથુન -  નો સ્વામી ગ્રહ બુધ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી પ્રસિદ્ધી મળી શકે છે. 
 
મંત્ર - ૐ ગં ગણપતે નમ:ના જાપથી નોકરી અને ધંધામાં આવી રહેલ પરેશાનીઓનો અંત થાય છે. 
 

 
કર્ક -  રાશિ જાતકોમાં ચંદ્રમા ગ્રહ રાશિનો સ્વામી હોય છે. જ્યોતિષ મુજબ ચંદ્રમા પર ભગવાન શિવનું  રાજ છે. આ રાશિના જાતકોને ધન સંબંધિત લાભ પ્રાપ્ત કરવા હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર-  ૐ નમ:શિવાય મંત્રના હમેશા જાપ ફળદાયક સિદ્ધ હોય છે. 
 
 
સિંહ -  રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે સિંહ રાશિના જાતકોને ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને નિત્ય તેમને અર્ધ્ય આપવાથી ઉર્જા મળે છે. 
 
મંત્ર - ૐ સૂર્યાય નમ:નો જાપ કરવાથી લાભ મળે છે. 
 
કન્યા -  રાશિનો સ્વામી બુધ ગ્રહ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તરત જ ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે. 
 
મંત્ર ૐ ગં ગણપતે નમ:મંત્રનો જાપ દરરોજ સવારે-સાંજે કરવાથી લાભ મળે છે. 

તુલા -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તુલારાશિવાળાને દેવી લક્ષ્મીજીની પૂજા લાભદાયક ગણાય છે. તુલા રાશિના જાતક દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી લે તો ધન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ જાય છે. 
 
મંત્ર-  ૐ  મહાલક્ષ્મયૈ નમ: મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. 
 
 
વૃશ્ચિક -  રાશિનો ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિવાળા માટે હનુમાનજીની પૂજા શુભ જણાવી છે. 
 
મંત્ર-  ૐ હં હનુમતે નમ: મંત્રના જાપથી શારીરિક દુખાવો અને ધન સંબંધિત દુખાવાનો અંત થાય છે. 
 
ધનુ રાશિ -  બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધ રાખે છે. ધનુ રાશિ વાળા માટે ભગવાન વિષ્ણુની પૂજા શુભ હોય છે. 
 
મંત્ર ૐ શ્રી વિષ્ણવે નમ: મંત્રના હમેશા જાપથી ધંધામાં લાભ થાય છે.

 
મકર - રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી શનિ કે હનુમાનજીની પૂજા, આ રાશિના જાતકો માટે શુભ હોય છે. 
 
મંત્ર - ૐ શમ શનિશ્વરાયે નમ: મંત્રનો જાપ કરવથી મુશ્કેલીઓ દૂર હોય છે. અને સુખ શાંતિ મળે છે. 
 
કુંભ - નો સ્વામી શનિ છે. શનિના ગુરૂ ભગવાન શંકર ગણાય છે. તેથી આ રાશિવાળાને શનિની સાથે-સાથે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર- ૐ મહામૃત્યુંજય નમ: મંત્રનો જાપ દરરોજ સવારે સાંજે 108 વાર કરવાથી બધા પ્રકારના  દુખ દૂર હોય છે. 
 
મીન -  રાશિનો સ્વામી બૃહસ્પતિ કહેવાય છે. આ રાશિના જાતકોએ  ભગવાન નારાયણનું  ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ મળે છે. 
 
મંત્ર - ૐ નારાયણા નમ: અને  ૐ ગુરૂવે મંત્રનો જાપ શુભ ફળ આપે છે. 
 

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments