Dharma Sangrah

શ્રાદ્ધ પક્ષ - કેવી રીતે દૂર કરશો પિતૃ દોષ

Webdunia
મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (17:00 IST)
પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવાનો હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. જેનાથી તમને તેમનો આશીર્વાદ અને સહયોગ મળે. 
જે માતા પિતા દાદા દાદી પ્રપિતામહ, માતામહી અને અન્ય વડીલોના લાડ પ્રેમ શ્રમથી કમાવેલ ધન અને ઈજ્જતની મદદથી તમે સૂખપૂર્વક રહો છો તેઓ આજે જ્યારે તેમનુ શરીર પાંચ તત્વમાં વિલીન થઈ ગયુ 
છે તો તમારુ આ પરમ કર્તવ્ય બને છે કે તમે તમારા પિતરો માટે કમસે કમ બીજુ કશુ ન કરી શકો તો તર્પણ તો કરી જ દો. 
 
જો તમે તમાઅ માતા પિતા પિતામહ અને પરદાદા વગેરે પ્રત્યે અસન્માન પ્રગટ કરો છો અને તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો તો તમને પિતૃદોષનો સામનો કરવો જ પડશે.  પિતૃ દોષ બે પ્રકારના હોય છે.  
1. વંશાનુગત  2. અવંશાનુગત 
 
જો તમે તેમના પ્રત્યે કોઈ અપરાધ કર્યો છે તો તમને નીચેમાંથી એક કે બધા પ્રકારના કષ્ટનો સામનો કરવો પડશે. 
 
1. વંશાનુગત - કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા, રોગ કે માનસિક વિકાર આનુવાંશિક હોઈ શકે છે. 
 
- અર્થાત વંશ ક્રમમાં કોઈ રોગ કે અવાંછનીય ગતિવિધિ થતી જઈ રહી હોય. આ વંશાનુગત દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અથર્વવેદમાં લખેલ ઉપાય કરવામાં આવે છે. 
 
2. અવંશાનુગત - અવંશાનુગતનો અર્થ છે કે પિતૃ લોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રૂષ્ઠ છે તેથી તેમને કારણે તમને જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડે છે .. જેવા કે 
1. સંતાન બાધા - સંતાન નહી થાય અથવા તો જો સંતાન છે તો સંતાનથી કષ્ટ બન્યુ રહે છે 
2. વિવાહ બાધા - જો કુળ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બે ઈંડામાં કેટલું પ્રોટીન હોય છે? જાણો Protein ની કમી પૂરી કરવા માટે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ ?

મસાલેદાર સરગવાનુ શાક

Jallianwala Bagh Day- જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ

રાયતા કેરડા - ગામઠી સ્ટાઈલ રાયતા કેયડાનું અથાણું

Baby Boys Names- સોમવારે જન્મેલા છોકરાઓનાં નામ

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments