Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 રાજ્યોના ચૂંટણી પરિણામ પછી પીએમ મોદીની ગુજરાત મુલાકાત, યોજાશે PMનો ભવ્ય રોડ શો

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (17:37 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. ઍરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, મેયર, કમિટી ચેરમેનોએ કરી હતી. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ સુધી 1 લાખની માનવસાંકળ બનાવવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધીની વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે એ માટે નાનામાં નાની વસ્તુઓ અને આયોજન અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 
-PMના કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. PMના રોડ શોને લઈને માહિતી આપતાં સી.આર પાટીલે જણાવ્યું હતું કે PMના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.
 
PMનો 11મી માર્ચનો કાર્યક્રમ
 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે.
- અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે.
- આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે.
- PM મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.
અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.
 
PMનો 12મી માર્ચનો કાર્યક્રમ
 
આ બાદ 12મી માર્ચના રોજ PM નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આ કાર્યક્રમ બાદ મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments