Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંગણવાડીના બાળકો નાશ્તામાં ફળો મળશેઃ સરકારે બાળક દીઠ અધધ એક રૂપિયો ફાળવ્યો

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:06 IST)
ગુજરાત સરકાર હવે રાજ્યને કુપોષણ મુક્ત રાજ્ય બનાવવાની વાતો કરી રહી છે. તેમજ બાળકો કુપોષણનો ભોગ ના બને તે માટે પોષક તત્વોયુક્ત ખોરાક પણ આપવાની ચર્ચાઓ કરી રહી છે. આ માટે સરકારે આંગણવાડીમાં બે દિવસ નાશ્તામાં ફળો આપવાનો નિર્ણય કર્યો છે. અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારે નાશ્તામાં બાળકોને ફળ અપાશે.  આ માટે રાજ્ય સરકારે બાળકોને ફળો આપવા માટે સૌથી મોટી રકમ તરીકે બાળક દીઠ માત્ર એક રૂપિયો ફાળવ્યો છે.1 કિલો કેળાના 20 રૂપિયાનો ભાવ છે. તેમ માત્ર 10 થી 12 કેળા આવે છે. જેથી બાળકોને કેળાના ટુકડા કરીને વહેચવા પડે છે. ત્યાં ક્યાંથી પોષણ મળવાનું છે. તે પ્રશ્ન સૌને ઉઠ્યો છે. સરકારે 20 દિવસ પહેલાં એક પરિપત્ર યુસીડી વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના બાળકોને ફ્રુટનો નાસ્તો આપવા માટે એક બાળક દીઠ માત્ર 1 રૂપિયો ફાળવ્યો છે. મોટાભાગની આંગણવાડીઓમાં 30 થી 35 બાળકો હોય છે. જેથી એક આંગણવાડીને સરકારના પરિપત્ર મુજબ 30 થી 35 રૂપિયા મ‌ળે છે. જામફ‌ળ , સફરજન ,ચીકું, વગેરેના ભાવ તો 60 થી 100 રૂપિયે કિલો વેચાય છે. અને તેમાં 1 કિલોમાં માત્ર 5 કે 6 નંગ આવે છે. હાલ તો માત્ર કેળા સસ્તાં પડે છે. જે 20 રૂપિયે કિલો વેચાય છે. જે પણ 1 કિલોમાં 10 થી 12 નંગ આવે છે. જેથી બાળકોને ફ્રુટનો નાસ્તો કેવી રીતે આપવો તે પ્રશ્ન છે. સંચાલકો બાળકોને અડધુ અડધુ કેળું આપે છે. તેનાથી પેટ ભરાતું નથી. તો શુ પોષણ તત્વોની વાત જ ક્યાં રહી. તે પ્રશ્ન સૌને ઉઠવા પામ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

આગળનો લેખ
Show comments