Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણમાં દલિત આત્મવિલોપનની ઘટનામાં SITની રચના, ૩૧ માર્ચ સુધીમાં તપાસ અહેવાલ સરકારને આપશે

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:20 IST)
પાટણમાં દલિત કાર્યકરના આત્મવિલોપનની ઘટનાને રાજ્ય સરકારે પ્રથમ દિવસથી જ ગંભીર ગણી છે. આ ઘટનાની ન્યાયિક તપાસ થાય તે માટે સરકારે પોલીસ મહાનિર્દેશકના અધ્યક્ષ સ્થાને ખાસ તપાસ દળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ સરકારને સુપરત કરશે. એમાં જે કસૂરવાર જણાશે તેની સામે સરકાર દ્વારા કડક પગલાં ભરાશે.

ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. આ સમગ્ર કેસની તપાસ બાબતે રચાયેલા ખાસ તપાસ દળમાં અધ્યક્ષ સ્થાને આઈજીપી નરસિમ્હા કોમર રહેશે. જ્યારે નિવૃત્ત અધિક સચિવ કિરીટ અધ્વર્યુ અને પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ સભ્ય તરીકે રહેશે.  તેમણે જણાવ્યું છે કે, પાટણ જિલ્લાના દલિત પરિવારની ઘટાજમીન માટેની માંગણી અંગેની વારંવારની રજૂઆતો સંબંધમાં કોઈ પ્રતિભાવ ન મળતાં ભાનુપ્રસાદ વણકરે ૧૫મી, ફેબ્રુઆરી-૨૦૧૮ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યુ હતું. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની સારવાર એપોલો હોસ્પિટલમાં કરવામાં આવી હતી પરંતુ તે દરમ્યાન તેમનું અવસાન થયું હતું.

આ બનાવ સંદર્ભે ૧૭-૧૮મી દરમ્યાન તેમના વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માટે તેમના પરિવારજનો દ્વારા માંગમી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તે બાબતે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને તે દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. એવી જ રીતે મૃતકના પરિવાર દ્વારા જે માંગણી કરાઈ હતી તેના સંદર્ભમાં ખાસ કિસ્સા તરીકે શરતોને આધિન જમીન નિયમબધ્ધ કરી આપવા માટે પણ પાટણ કલેકટર દ્વારા ૧૯મીએ હુકમ કરી દેવામાં આવ્યો હતો. સાતલપુર તાલુકાના જામવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સ્વ.ભાનુપ્રસાદના પુત્ર ભાર્ગવકુમાર ભાનુપ્રસાદ મેઉવા ફરજ બજાવે છે. તેઓ પરિવારજનો સાથે રહી શકે તે માટે રાજ્ય સરકારે તેમની બદલી સિધ્ધપુર તાલુકાની ઈન્દિરાનગર (કાકોશી) પ્રાથમિક શાળામાં કરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments