Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને અન્યાય થયો ? રાજ્ય સરકારે 1949.92 માંગ્યા, કેન્દ્ર સરકારે 1469 કરોડ આપ્યાં

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:17 IST)
કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વખતે કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાના આક્ષેપો

ગુજરાતની સરકાર દ્વારા કરાતા હતા પરંતુ અત્યારે કેન્દ્ર અને ગુજરાત એમ બંને સ્થળે ભાજપની સરકાર છે, તેમ છતાં પણ ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારીની ગેરંટી આપવા માટે મનરેગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ 1949.92 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી હતી પણ આ બંને વર્ષોના અંતે કેન્દ્ર સરકારે, ગુજરાતને તેના દ્વારા માંગવામાં આવેલી રકમ કરતાં 481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. જેને હવે, ભારત સરકાર દ્વારા ગુજરાતને કરાતો અન્યાય માની શકાય કે કેમ ? તે પ્રશ્ન અત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પૂછાઈ રહ્યો છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના લેખિત પ્રશ્નના જવાબમાં ગ્રામ વિકાસ મંત્રીએ એવી માહિતી આપી હતી કે, 2016ના વર્ષમાં મનેરગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 962.67 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જોકે, ભારત સરકારે 2016ના વર્ષમાં ગુજરાત સરકારને 638.72 કરોડની ફાળવણી કરી હતી. અર્થાત 2016ના વર્ષમાં ગુજરાત સરકારે ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારી આપવા માટે મનરેગા યોજના હેઠળ માંગેલી ગ્રાન્ટ કરતાં 323.95 કરોડ ઓછા આપ્યા હતા.  એવી જ રીતે 2017ના વર્ષમાં ગુજરાત સરકારે આ યોજના હેઠળ ભારત સરકાર પાસેથી 987.25 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે ગુજરાતને 829.99 કરોડ આપ્યા હતા એટલે કે, 2017માં ગુજરાત સરકારે માંગેલી ગ્રાન્ટ કરતાં 157.26 કરોડ, ભારત સરકારે ઓછા આપ્યા હતા. આમ, 2016 અને 2017ના વર્ષ દરમિયાન ગુજરાત સરકારે મનરેગા યોજના હેઠળ ભારત સરકાર પાસેથી કુલ 1949.92 કરોડની રકમની ગ્રાન્ટ પેટે માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે, ગુજરાતને 1468.71 કરોડની રકમ ગ્રાન્ટ પેટે આપી હતી. જે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી માંગણી કરતાં 481.21 કરોડ જેટલી ઓછી છે.

સંબંધિત સમાચાર

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments