Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને અન્યાય થયો ? રાજ્ય સરકારે 1949.92 માંગ્યા, કેન્દ્ર સરકારે 1469 કરોડ આપ્યાં

ગુજરાતને અન્યાય
Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:17 IST)
કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વખતે કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાના આક્ષેપો

ગુજરાતની સરકાર દ્વારા કરાતા હતા પરંતુ અત્યારે કેન્દ્ર અને ગુજરાત એમ બંને સ્થળે ભાજપની સરકાર છે, તેમ છતાં પણ ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારીની ગેરંટી આપવા માટે મનરેગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ 1949.92 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી હતી પણ આ બંને વર્ષોના અંતે કેન્દ્ર સરકારે, ગુજરાતને તેના દ્વારા માંગવામાં આવેલી રકમ કરતાં 481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. જેને હવે, ભારત સરકાર દ્વારા ગુજરાતને કરાતો અન્યાય માની શકાય કે કેમ ? તે પ્રશ્ન અત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પૂછાઈ રહ્યો છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના લેખિત પ્રશ્નના જવાબમાં ગ્રામ વિકાસ મંત્રીએ એવી માહિતી આપી હતી કે, 2016ના વર્ષમાં મનેરગા યોજના હેઠળ ગુજરાત સરકારે, 962.67 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જોકે, ભારત સરકારે 2016ના વર્ષમાં ગુજરાત સરકારને 638.72 કરોડની ફાળવણી કરી હતી. અર્થાત 2016ના વર્ષમાં ગુજરાત સરકારે ગ્રામીણ ગરીબોને વર્ષ દરમિયાન સતત રોજગારી આપવા માટે મનરેગા યોજના હેઠળ માંગેલી ગ્રાન્ટ કરતાં 323.95 કરોડ ઓછા આપ્યા હતા.  એવી જ રીતે 2017ના વર્ષમાં ગુજરાત સરકારે આ યોજના હેઠળ ભારત સરકાર પાસેથી 987.25 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે ગુજરાતને 829.99 કરોડ આપ્યા હતા એટલે કે, 2017માં ગુજરાત સરકારે માંગેલી ગ્રાન્ટ કરતાં 157.26 કરોડ, ભારત સરકારે ઓછા આપ્યા હતા. આમ, 2016 અને 2017ના વર્ષ દરમિયાન ગુજરાત સરકારે મનરેગા યોજના હેઠળ ભારત સરકાર પાસેથી કુલ 1949.92 કરોડની રકમની ગ્રાન્ટ પેટે માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે, ગુજરાતને 1468.71 કરોડની રકમ ગ્રાન્ટ પેટે આપી હતી. જે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી માંગણી કરતાં 481.21 કરોડ જેટલી ઓછી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments