Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના મંત્રીનો વાણીવિલાસ, ‘ભાજપ સરકારના લીધે રામમંદિરનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો’

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2019 (11:25 IST)
ભરૂચ: મોદી સરકારમાં નેતા ખૂબ સંભાળીને વાણીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ગેલમાં જઇ ભાજપના નેતાઓ પણ ભાન ભૂલી જાય છે. આવું કંઇક ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યું છે. નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના મતવિસ્તારમાં કહ્યું હતું કે, રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમે કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર હોવાના કારણે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે. વસાવાના આ નિવેદનથી જોરદાર હોબાળો મચ્યો છે. 
 
ટીવી ચેનલ્સ પર બતાવાયેલા વિડીયોમાં વસાવા એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘દેશ આઝાદ પણ નહોતો થયો તે સમયથી રામજન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલાય લોકો તેમાં શહીદ થયા. કેટલાય આંદોલન થયો પરંતુ એ મુદ્દો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તામાં હોવાના કારણે આ સુપ્રીમ કોર્ટે આપણા તરફી જજમેન્ટ આપવું પડ્યું.’
 
મનસુખ વસાવાએ થોડા દિવસ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બની ગયું પરંતુ તેના કારણે સ્થાનિકોને રોજગારી નથી મળતી. ભાજપના નેતાનું અયોધ્યા મુદ્દે આપેલા આ નિવેદન ભારે ચર્ચાનું કારણ બન્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments