Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાલંદા યુનિવર્સિટીનો ઈતિહાસ પાંચમી સદીનો છે, જ્યારે ત્યાં 10,000 વિદ્યાર્થીઓ અને 1,500 શિક્ષકો હતા... જાણો હવે સુવિધાઓ કેવી હશે.

Webdunia
બુધવાર, 19 જૂન 2024 (14:47 IST)
Nalanda university - વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે 19 જૂન બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનો ઉદ્ઘાટન કર્યુ. આ અવસરે વિદેશ મંત્રી એસ જયશંકર અને 17 દેશના રાજદૂત પણ હાજર રહ્યા. 
 
નાલંદના ખંડેરોને યુનાઈટેડ નેશન્સ દ્વારા 2016માં હેરિટેજ સાઈટ જાહેર કરાયા બાદ યુનિવર્સિટીનું બાંધકામ 2017માં શરૂ થયું હતું. નાલંદા યુનિવર્સિટીનું ઐતિહાસિક મહત્વ નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ પાંચમી સદીનો છે, જ્યારે તેની સ્થાપના ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્તા I દ્વારા કરવામાં આવી હતી. તે સમયે તે વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાં લગભગ 10,000 વિદ્યાર્થીઓ અને 1,500 શિક્ષકો હતા.
 
ચીન, કોરિયા અને જાપાનથી આવતા બૌદ્ધ ભિક્ષુ અહીં અભ્યાસ કરતા હતા. સાતમી સદીમાં ચીની ભિક્ષુ હ્વેનસાંગએ પણ અહીં શિક્ષા ગ્રહણ કરી હતી. 12મી સદીમાં આક્રમણકારીઓ દ્વારા તેને નષ્ટ કરી નાખ્યિઓ હતો પણ તેનાથી પહેલા આશરે 800 વર્ષો સુધી જ્ઞાનનુ કેંદ્ર બન્યો રહ્યો. નવા પરિસર અને તેની વિશેષતાઓ નાલંદા યુનિવર્સિટીના નવા પરિસર પ્રાચીન ખડેરોની પાસે સ્થિત છે. તેને 2010ના નાલંદા યુનિવર્સિટી એક્ટ હેઠળ સ્થાપના કરવામાં આવી છે. આ કાયદા હેઠળ 2007માં ફિલિપાઈન્સમાં આયોજિત બીજા ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને લાગુ કરવામાં આવ્યા હતા. નવું કેમ્પસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં 40 વર્ગખંડો ધરાવતા બે શૈક્ષણિક બ્લોક્સ છે, અને કુલ બેઠક ક્ષમતા 1,900 વિદ્યાર્થીઓ છે. ત્યાં બે ઓડિટોરિયમ છે, દરેકમાં 300 બેઠકો છે, અને એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર છે, જેમાં દરેકની બેઠક ક્ષમતા 2,000 છે. વધુમાં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments