Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં સુરતમાંથી 3ની ધરપકડ, ગુજરાત આવશે લખનઉ પોલીસ

Webdunia
શનિવાર, 19 ઑક્ટોબર 2019 (11:33 IST)
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શુક્રવારે થયેલી હત્યાનું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત પોલીસે મોડી રાત્રે સાત શંકાસ્પદને કસ્ટડીમાં લીધા હતા, જેમાંથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે. સુરતમાં ધરકપડ કરી લેવામાં આવી છે. સુરતમાંથી ધરપકડ કરવામાં આવેલા શંકાસ્પદોના નામ રાશિદ, મોહસિન અને ફૈજલ છે. આ ત્રણેયને સુરતના લિંબાયત વિસ્તારમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી બે મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે. 
 
મળતી માહિતી અનુસાર સાતેય શંકાસ્પદોની પોલીસે મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે લખનઉ પોલીસ પૂછપરછ માટે સુરત આવી શકે છે. તો બીજી તરફ હત્યાકાંડના આરોપી મુફ્તી નઇમ કાસમી અન મૌલવી અનવારૂલ હક બંનેને બિજનૌર પોલીસે ઝડપી લીધા છે. મૌલવીના પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસે મોડીરાત્રે 3 વાગે ધરપકડ કરી હતી. 
 
સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ, હત્યાના સમયે ઉપયોગ કરવામાં આવેલા મોબાઇલ નેટવર્ક અને સુરતના મોબાઇલ નેટવર્કને ખંગાળવામાં આવી રહ્યા છે જેથી પુરાવા એકઠા કરી શકાય. 
 
જોકે કમલેશ તિવારીની હત્યા બાદ પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે. તેમાં બે શંકાસ્પદ યુવકો દેખાઇ રહ્યા છે. તેમના હાથમાં મિઠાઇની થેલીઓ છે. આ મિઠાઇના થેલીથી પોલીસને મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે. જોકે આ થેલીમાં જે મિઠાઇના ડબ્બા મળ્યા છે, જે સુરતની ધરતી બ્રાંડના છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ મિઠાઇના ડબ્બામાં હથિયાર સંતાડીને લાવવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM મોદી આજે કાશીની મુલાકાતે આવી રહ્યા છે, 1,300 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વાવાઝોડામાં શાળાની છત ઉડી, 5 બાળકો અને શિક્ષક ઘાયલ; મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના

IND vs NZ 1st Test Live: ભારતને મેચ જીતાડવાની જવાબદારી બોલરો પર, ન્યૂઝીલેન્ડને 107 રનનો મળ્યો ટાર્ગેટ

કોણ છે નવ્યા હરિદાસ, જેમને ભાજપે પ્રિયંકા ગાંધી સામે વાયનાડ બેઠક પરથી ટિકિટ આપી?

Rajasthan Accident - ધોલપુરમાં ટેમ્પો અને બસ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતમાં 12 લોકોના મોત

આગળનો લેખ
Show comments