Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ટીકટોક વીડિયો બનાવવા માટે પોતાની જીપને આગ ચાંપી દીધી, 2ની ધરપકડ

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (12:06 IST)
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર સોમવારે બપોરે ફાયરબ્રિગેડ સ્ટેશન સામે જ એક વ્યક્તિએ ટિકટોક વીડિયો બનાવવા માટે પોતાની કારને આગ ચાંપી દીધી હોવાના મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે યુવક દીવાસળી વડે કાર સળગાવે છે અને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ચાલ્યો જાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ એસપી એચ.એલ.રાઠોડે જીપ સળગાવવા મામલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સમગ્ર મામલે બે આરોપી ઇન્દ્રજીત સિંહ અને નિમિષ ગોહેલની ધરપકડ કરવામાં આવી છે. જીપ સ્ટાર્ટ ન થતા ઇન્દ્રજીતસિંહે કોઠારીયા રોડ પર પોતાની જીપ સળગાવી હતી . જેથી ડોમેસ્ટિક પબ્લિક એક્ટ અને કલમ 285 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો નિમિષ ગોહેલે બનાવ્યો હતો. જેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.  જીપને સળગાવવાની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જીપની પેટ્રોલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સર્જાઇ હતી. સદનસીબે સામે જ ફાયર સ્ટેશન હોવાથી ઝડપથી જીપની આગને કાબૂમાં લેવામાં આવી હતી. સ્થળ પર હાજર કેટલાક લોકોએ મોબાઇલમાં શૂટિંગ ઉતારી તેને વાઇરલ કરતા દેકારો મચી ગયો હતો. કોઠારિયા રોડ ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશનની સામે જ જીપ સળગાવતા ફાયર ફાઇટર મોકલી પાણી મારો ચાલુ કરવામાં આવ્યો હતો તે સાથે જ ઇન્દ્રજીતસિંહ દોડી આવ્યો હતો અને તેણે પાણીમારો બંધ કરવાનું કહી જીપ સળગી જવાદો તેમ કહ્યું હતું.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments