Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Sight Day: તમાર્રી આંખોની રોશની ન છીનવી લે કમ્યુટર અને મોબાઈલ, ડેસ્ક પર કામ કરો છો તો જાણી લો જરૂરી વાતો

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (09:00 IST)
eyes care
World Sight Day 2023: આજકાલ કોમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવવો, આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું, પોષણવાળા ખોરાકનો અભાવ, આંખોની કાળજી ન લેવાને કારણે આંખોની રોશની નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત ઝાખુ દેખાવવું, શુષ્કતા, આંખોમાં બળતરા અથવા બેવડી દ્રષ્ટિ અને અન્ય ઘણી આંખો સંબંધિત સમસ્યાઓ થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ વખતે વિશ્વ દૃષ્ટિ દિવસ (world sight day theme 2023) ની થીમ  'LOVE YOUR EYES AT WORK' રાખવામાં આવી છે. આ ડિજિટલ યુગમાં તમારી આંખોને કેવી રીતે સુરક્ષિત રાખવી (Tips for eye care in workplace) અને કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ તેના વિશે.  પરંતુ તે પહેલા ચાલો સ્ક્રીન ટાઈમ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો સમજીએ.
 
કોમ્પ્યુટર કે મોબાઈલની આંખો પર અસર
આજકાલ મોટાભાગનું કામ મોબાઈલ અને કોમ્પ્યુટર પર થતું હોવાથી લોકોને પહેલા કરતા અનેક પ્રકારની આંખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે  તેમને સતત જોવાથી આંખના સ્નાયુઓ પર દબાણ આવે છે. કારણ કે આ સમયે કામ કરતી વખતે આપણી પાંપણો ઓછી ઝબકતી હોય છે, જેના કારણે આંખોનો ભેજ જતો રહે છે. થોડા સમય પછી તમે પણ આંખોમાં ઝાંખાપણું અનુભવો છો.
 
સ્ક્રીન ટાઈમ આંખોને કેટલી અસર કરે છે?
વધારે સમય સુધી સ્ક્રીન તરફ જોવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે. આનાથી અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખમાં તાણ, આંખોમાં શુષ્કતા, માથાનો દુખાવો, આંખમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, તમે તમારા ખભા અને ગરદનમાં પણ દુખાવો અનુભવી શકો છો.
 
ડેસ્ક પર કામ કરતી વખતે તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?
- આંખની સંભાળ માટે સૌ પ્રથમ ધ્યાન રાખો કે મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર લાંબો સમય બેસી ન રહેવું.
- કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલને લાંબા સમય સુધી ન જુઓ.
- તમારી પાંપણોને થોડી-થોડી વારે બંધ અને ખોલતા રહો.
-20-20-20 નિયમનું પાલન કરો.
-આ નિયમ અનુસાર જો તમે સતત કોમ્પ્યુટર કે મોબાઈલ પર કામ કરી રહ્યા છો તો 20 મિનિટ પછી તમારું ધ્યાન ત્યાંથી હટાવીને 20 સેકન્ડ માટે 20 ફૂટના અંતરે કોઈ બીજી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો.
-જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે ઊંઘતા પહેલા લગભગ 1 કલાક પહેલા તમારો મોબાઈલ ફોનને બાજુ પર રાખો.
 
ઉલ્લેખનીય છે કે 20-20-20 નો નિયમ તમારી આંખોને ઘણી સમસ્યાઓથી બચાવે છે અને આંખો સુરક્ષિત રહે છે. આ કસરત કરવાથી તમારી આંખના સ્નાયુઓને આરામ મળે છે અને તણાવથી પણ રાહત મળે છે. આ ઉપરાંતય નાના બાળકોને આવા ગેજેટ્સથી દૂર રાખો અને તેમને ઓનલાઈન ગેમ રમવાને બદલે મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરો. આ સિવાય ખાદ્યપદાર્થોમાં લીલા શાકભાજી, ફળો, દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરો. સારી ઊંઘ લો, જેથી તમને માનસિક શાંતિ મળે અને તમારી આંખોને પણ આરામ મળે.
 
(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો)
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments