Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના આંકડાએ ‘સત્ય’ જાહેર કર્યુ:મહેસુલ નહી પોલીસ વિભાગ સૌથી ભ્રષ્ટ

Webdunia
મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (12:01 IST)
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મહેસુલ વિભાગની ભરી સભામાંઆ વિભાગને ગુજરાતના સૌથી ભ્રષ્ટ ગણાવીને 2018નું સૌથી મોટું પ્રમાણપત્ર આપી દીધા બાદ પીછેહઠ કરવી પડી હતી. મુખ્યમંત્રીએ એક વખત આવા જ એક સરકારી સમારોહમાં બીનખેતીના ભાવ પણ પોતે જાણે છે તેવી વાત કરી હતી પણ કદાચ જો રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે કાર્યરત રાજયના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના આંકડા તપાસ્યા હોત તો મહેસુલ નહી પણ રાજયના ગૃહ વિભાગને આ પ્રમાણપત્ર આપ્યું હોત તે નિશ્ર્ચિત છે. કારણ કે એબીસીના આંકડા કહે છે કે 2018ના વર્ષમાં ગૃહ મંત્રાલય એટલે કે પોલીસ વિભાગમાં લાંચના સૌથી વધુ છટકા ગોઠવાયા હતા અને સફળ પણ રહ્યા હતા.

 જો કે આ વિભાગના સૂત્રો કહે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આ કેસ ફકત હિમશીલાની ટોચ જ છે. આંતરિક ભ્રષ્ટાચાર તો હિમાલયા જેવો છે જે આપણે અનુભવીએ છીએ. જોઈએ છીએ અને સ્વીકારી પણ લીધો છે પણ તેમાં રેડ ભાગ્યે જ થાય છે. 2018માં પોલીસ વિભાગમાં લાંચના 137 કેસમાં સફળ ટ્રેપ થઈ હતી અને રૂા.20.14 લાખની રકમ ઝડપાઈ પણ પોલીસ વિભાગના સૂત્રો કહે છે કે આ રકમ તો એક ટ્રાફીક પોઈન્ટની માસીક આવક કરતા પણ ઓછી છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારમાં બદલી અને ફરજોની ફાળવણીમાં પણ છે. 
ગત વર્ષે પોલીસ વિભાગમાં લાંચ રૂશ્વતના 42 અને રૂા.5-10 લાખ હાથ થયા હતા તેની સામે 2018ના આંકડા ત્રણ ગણા છે. જયારે જે મુન્નીની માફક બદનામ થયું તે મહેસુલ વિભાગના લાંચ રૂશ્વતના 23 કેસ અને 30 લોકોની ધરપકડ થઈ છે. મુખ્યમંત્રી જે બિનખેતીની વાત કરતા હતા તેમાં લાખો કરોડોના વહીવટ થાય છે અને તેમાં ઓનલાઈન થવાથી ફર્ક શું પડશે તે પણ પ્રશ્ર્ન છે. હવે આ તો ભ્રષ્ટાચાર પણ કેન્દ્રીત થયો છે. દરેક બિનખેતી કલેકટર મારફત થશે. આમ આ રીતે સીધું ગાંધીનગર કનેકશન બની ગયું છે. 
હવે ગૃહ મંત્રાલય ખુદ રૂપાણી પાસે છે અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે. જયારે મહેસુલ મંત્રી તરીકે કૌશીક પટેલ છે. ભ્રષ્ટાચારમાં ત્રીજા નંબરે પંચાયત ગ્રામ્ય હાઉસીંગ વિભાગ છે જેમાં 94 કેસોમાં રૂા.13.62 લાખની રકમ ઝડપાઈ હતી. જયારે શહેરી વિકાસમાં 58 કેસોમાં રૂા.11.42 લાખની રકમ ઝડપાઈ હતી અને નાણા વિભાગમાં 12 કેસમાં રૂા.1.78 લાખની રકમ ઝડપાઈ હતી. જો કે ભ્રષ્ટાચાર કર્યા નથી તે પણ પ્રશ્ર્ન છે. શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચારથી બદબદે છે. જો મહેસુલ વિભાગની વાત કરીએ તો તેનું પોલીટીકસ કનેકશન સૌથી વધુ છે. આપણા લગભગ દરેક નેતા ‘જમીન’ સાથે જોડાયેલા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments