Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારના નાયબ સીએમ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, ગુજરાતીઓને ઠગ કહેવું ભારે પડ્યું

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (18:46 IST)
22 માર્ચ 2023ના રોજ આપેલા નિવેદનને લઈને અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
આ ફરિયાદને લઈને હવે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરાશે
 
અમદાવાદઃ મોદી સરનેમને લઈને માનહાની કેસમાં રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને હવે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરાશે. 
 
ગુજરાતીઓને બદનામ કરવાનો પણ આરોપ 
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે 22 માર્ટ 2023ના રોજ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતાં. કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ગુજરાતીઓનું અપમાન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગુજરાતીઓને બદનામ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 
 
તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
અરજદારે કોર્ટમાં તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદને લઈને આગામી પહેલી મેના રોડ અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments