Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના વરાછામાં લોકોનો પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (12:41 IST)
તાજેતરમાં જ એક રીપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે ગુજરાતની જનતા સત્તાધીશ સરકારના કાર્યોથી ખુશ નથી. રાજ્યમાં લોકો શિક્ષણ પાણી અને ટ્રાફિક સહિત ખેડૂતોના અનેક પ્રશ્નોથી સરકારથી નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં લોકો સરકાર સામે બાંયો ચડાવી રહ્યાં છે. રાજ્યમાં નાના ગામડાઓમાં લોકો પ્રાથમિક સુવિધાઓ માંગી રહ્યાં છે જો તે નહીં મળે તો મતદાન નહીં કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યાં છે. ત્યારે સુરતના  મોટા વરાછા વિસ્તારના લોકોએ અધધ પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ચૂંટણી પહેલાં પાણી બિલ માફ નહીં કરવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા છે. મોટા વરાછા, છાપરાભાઠા સહિતના વિસ્તારોમાં કોર્પોરેશને 24*7 યોજના હેઠળ પાણી મીટર દ્વારા આપવામાં આવી રહ્યું છે. જોકે, પાણીના વપરાશ કરતા મસમોટા બિલ આવતા હોવાથી ઘણા સમયથી રહિશો વિરોધ કરી રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments