Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

Webdunia
મંગળવાર, 14 મે 2024 (17:56 IST)
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆત  થઈ ગઈ છે. જોકે આ વર્ષે પહેલા જ દિવસ યમુનોત્રીમાં ભારે ભીડના કારણે અવ્યવસ્થાના સમાચાર આવી રહ્યા છે. એવામાં હવે આજે ગંગોત્રી જવાના માર્ગ પર 15 કિમી જેટલી વાહનોની લાંબી કતાર લાગી હતી. નોંધનીય છે કે દર વર્ષે ગુજરાતથી મોટી સંખ્યામાં ભક્તો ચાર ધામ યાત્રા કરવા જાય છે ત્યારે આજે ચક્કાજામમાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા.
 
ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે  કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. આ કારણે ઉત્તરાખંડ પોલીસે લોકોને યાત્રા ન કરવાની અપીલ કરી છે.
 
યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક સો મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. 10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો મંગળવારે પાંચમો દિવસ છે. પરંતુ, ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને હાલ મોકૂફ રાખવાની અપીલ કરી છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments