Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરબી પુલ દુર્ઘટનામાં અસલી ગુનેગારો સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? રાહુલ ગાંધી

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2022 (16:09 IST)
ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.
 
તેમણે કહ્યું હતું કે, “મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે સત્તારૂઢ ભાજપ સાથે તેમના સારા સંબંધ છે.”
 
 
તેમણે કહ્યું હતું કે, “સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ અસલી ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.”
 
રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે, “અહીં મોરબી દુર્ઘટના ઘટી હતી, એ સમયે પત્રકારોએ મને પૂછ્યું કે આ વિશે તમે શું વિચારો છો? મેં કહ્યું, લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ કોઈ રાજકીય મુદ્દો નથી, તેથી હું તેના પર કંઈ જ કહીશ નહીં. પરંતુ આજે સવાલ એ ઊઠે છે કે, આ ઘટના સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જે લોકો આ ઘટના માટે જવાબદાર હતા તેમની સામે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી?”
 
સોમવારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments