Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના બંદરોને 40 કરોડનું નુકસાન થયું

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (14:11 IST)
ગત સપ્તાહે સૌરાષ્ટ્ર તટ પાસેથી પસાર થયા પછી કચ્છ જિલ્લામાંથી લો-પ્રેસર તરીકે પસાર થયેલા વેરી સિવીઅર વાયુ વાવાઝોડાના કારણે રાજયના પોર્ટસ અને પોર્ટલ પ્રવૃતિઓને રૂા.40 કરોડનું નુકશાન થયું છે. ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ સંચાલીત 3 બંદરો અને સ્વાન એનર્જી લીમીટેડના ખાનગી બંદરને નુકશાન થયું હતું. જાફરાબાદ ખાતે રૂા.4000 કરોડના ખર્ચે ફલોટીંગ સ્ટોરેજ અને રી-ગેલીફીકેશન યુનીટ બાંધી રહેલા સ્વાન એલએમજી પ્રાઈવેટ લીમીટેડના બ્રેકવોટર્સ 400 મીટર ધોવાઈ ગયા હતા. કવાન એલએનજીના 5 મિલિયન ટનલ પર એનમ (એમટીપીએમ) ટર્મિનલ પ્રોજેકટમાં જીએમબીનો 11% હિસ્સો છે.પ્રાથમિક અંદાજો મુજબ સ્વાન એલએનજીને પાંચ કરોડનું નુકશાન થયું છે. મ છતાં, નુકશાનીના આખરી અંદાજની વાટ જોવાઈ રહી છે. માંગરોળમાં રાજયના ફીશરીઝ વિભાગ સાથે ફીશીંગ હાર્બર પ્રોજેકટ વિકસાવી રહેલા જીએમબીના ઈન્ફ્રાસ્ટ્રકચરને રૂા.13.5 કરોડનું નુકશાન થયું છે. પોરબંદર અને માંગરોળ ખાતે 62 કરોડનું નુકશાન થયું છે. જીએમબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તોફાની મોજાના કારણે બ્રેકવોટર્સને મોટાભાગનું નુકશાન થયું છે. પોરબંદરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરર્સ 18 કરોડનું નુકશાન થયું હતું. ઓખા બંદરે વોર્ફ અને ટાઈડ કેબીનને નુકશાન થતાં એક કરોડનો ફટકો પડયો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments