suvichar

બજારમાં વેચાણ માટે મુકેલો ખાતરનો જથ્થો પરત ખેંચાશે, વેચાણ અચોક્કસ મુદત માટે બંધ

Webdunia
સોમવાર, 13 મે 2019 (11:37 IST)
ખેડૂતોને વિતરણ થતા ડીએપી ખાતરની બેંગ્સમાં વજન ઓછું હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે રાજય સરકારે જ દરમિયાનગીરી કરીને ખાતરનું વેચાણ શનિ-રવિ એમ બે દિવસ બંધ કરાવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ વજન ઓછું હોવાનું બહાર આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલો તમામ જથ્થો પાછો ખેંચવાનું નક્કી કર્યુ છે. જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે. મગફળી,તુવેરકાંડ અને હવે ખાતરની બેંગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા સરકારને તાત્કાલિક તપાસ હાથ ધરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છેકે, સમગ્ર કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યું હતું. કોંગ્રેસના3 ધારાસભ્યોએ વિતરણ કેન્દ્ર પર જ જનતા રેડ કરીને વજન કરતા 50 કિલોની એક બેગ્સમાં 300થી900 ગ્રામ જેટલું વજન ઓછું આવતું હોવાનું બહાર આવ્યું હતું. પરિણામે ગુજરાત સરકારે તા. 11 અને 12 મે,2019ના શનિ-રવિવાર દરમિયાન ડીએપી ખાતરનું વેચાણ બંધ કરીને તમામ જથ્થાનું વજન વિડીયોગ્રાફી મારફત કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સોમવારથી પુન:વેચાણ કરવાની જાહેરાત કરી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

આગળનો લેખ
Show comments