Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી નિમિત્તે અમિત શાહ ગુજરાતની મુલાકાતે, લોકડાઉન પછી પહેલીવાર આવશે ગુજરાત

Webdunia
મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (09:30 IST)
: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શાહ ૧૭ ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. નવરાત્રિના આરંભે 17  ઓક્ટોબરથી 19  ઓક્ટબર દરમિયાન પરિવાર સાથે ગુજરાતમાં રોકાણ કરશે. લોકડાઉન બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
 
અમિત શાહ અને તેમના પરિવારે નવરાત્રિ પ્રસંગે બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાજીની માંડવીના દર્શને જવાની પરંપરા અચૂક જાળવી રાખી છે. 17  ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિના બીજા નોરતે તેઓ પરિવાર સાથે માતાજીના દર્શન માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 
તેમને ગુજરાત આવ્યે ઘણો સમય થઈ ગયો હોવાથી તેઓ અહીં આવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. આ બે દિવસ શાહ માત્ર પરિવાર સાથે જ રહેશે. માત્ર ગણતરીના જ ભાજપના નેતા તેમની ઔપચારિક મુલાકાતે આવી શકે છે, તે સિવાય તેઓ કોઈ રાજકીય કામ આ દરમિયાન કરશે નહીં. છતા અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments