Webdunia - Bharat's app for daily news and videos

Install App

GRD ની ભરતી માટે બેરોજગારોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસે કર્યો લાઠીચાર્જ

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (11:04 IST)
photo- ANI Twitter
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ વિભાગ પર આંગળી ચિંધાવવા લાગી છે. કોરોના મહામારીની વચ્ચે શનિવારે ગ્રામ રક્ષક દળની (જીઆરડી) ના 600 પદની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. પોલીસને આશા ન હતી કે આટલી ભીડ ઉમટી પડશે અને ના તો તેને સંભાળવા માટે કોઇ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવામાં હજારોની ભીડ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક પોલીસકર્મીઓએ લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. બેરોજગારોની મોટી સંખ્યાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ગ્રામીણ વિસ્તાર પર આવનાર ઉમેદવારોને જોઇને સરળતાથી બેરોજગારીનો અંદાજો લગાવી શકાય છે. 
 
તો બીજી તરફ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતાં જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું, કોઇએ વ્યવસ્થાને ધ્વસ્ત ગણાવી તો કોઇએ તેને કોરોના સંક્રમણનું વેલકમ ગણાવ્યું. વાયરલ વીડિયો દર્શાવે છે કે મઠ્ઠીભર પોલીસ તંત્ર વ્યવસ્થા માટે કેવા પ્રકારનો પ્રયત્ન કરી રહી છે.  
 
જીઆરડી ભરતી માટે 5 ધોરણ પાસ વ્યક્તિ અરજી કરી શકે છે. તેમાં શારિરીક ટેસ્ટ લેવામાં આવે છે. તેના માટે ફક્ત 230 રૂપિયા દૈનિક ભથ્થું મળે છે. 
 
તમને જણાવી દઇએ કે ગત બે વર્ષોમાં બેરોજગારીનું સંકટ વધ્યું છે. ઔધોગિક કામકાજ મંદા પડ્યા છે હજારો યુવકો પરત ફરતા મજબૂર બન્યા છે. ગામમાં નાના નાના કામો માટે પણ બેરોજગાર યુવકોને મારામારી કરવી પડી રહી છે

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments